મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપના તેમજ પુર્વ કાઉન્સીલરોએ સફાઈ કર્મયોગીઓનું કર્યુ સન્માન ગુજરાત રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયાના મોરબીમાં આવેલ નિવાસ્થાને સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો મોરબી નજીક કારખાનેદાર અને તેના પત્ની ઉપર બાજુના કારખાનામાં રહેતા બે શ્રમિકોએ કર્યો જીવલેણ હુમલો મોરબીના પરશુરામ ધામ ખાતે બ્રહ્મ સમાજની વિવિધ પાંખ દ્વારા રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું કરાયું સન્માન: સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્ય અને દેશમાં સુખ, શાંતિ, સલામતી અને સમૃદ્ધિ માટે નકલંક દાદા ને પ્રાર્થના કરતા રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા વાંકાનેરમાં એકટીવા ચાલકે હડફેટે લેતા બે બાળકોને ઇજા, અકસ્માત સર્જીને વાહન ચાલક ફરાર વાંકાનેરમાં યુવાનની નિર્મમ હત્યાના ગુનામાં ચાર આરોપીની ધરપકડ, બાળ કિશોરની પૂછપરછ કરાઈ હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો


SHARE

























હળવદમાં અગાઉ કરેલ ફરિયાદનું મન દુઃખ રાખીને ચાર વ્યક્તિઓ ઉપર છરી અને ધોકા વડે હુમલો, પાંચ શખ્સો સામે ગુનો નોંધાયો

હળવદ શહેરમાં રહેતા આધેડના કૌટુંબિક ભાઈએ અગાઉ કરેલ ફરિયાદનો ખાર રાખીને એક વ્યક્તિને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો અને ત્યારબાદ હુમલાખોરને સમજાવવા માટે થઈને ગયેલ આધેડ સહિતના ત્રણ વ્યક્તિઓને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ બે વ્યક્તિને છરીના ઘા મારીને ઈજા કરવામાં આવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવારમાં લઈ ગયા હતા ત્યારબાદ આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના સરા રોડ ઉપર રહેતા મનસુખભાઈ પુંજાભાઈ રાઠોડ (51)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમન હસમુખભાઈ પરમાર, કાર્તિક હસમુખભાઈ પરમાર, મોહિત હસમુખભાઈ પરમાર, કલ્પેશ હસમુખભાઈ પરમાર અને હિંમત કાનજીભાઈ પરમાર રહે બધા બસ સ્ટેશન પાછળ હળવદ વાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેના કૌટુંબિક ભાઈએ આરોપી વિરુદ્ધ ફરિયાદ કરી હતી જેનું મન દુઃખ રાખીને અમન પરમારે સાહેદ દિનેશભાઈને બાબાસાહેબ શોપિંગ સેન્ટરની પાછળના ભાગમાં તળાવ કાંઠે ધોકા વડે માર માર્યો હતો જે બાબતે ફરિયાદી તથા સાહેદો તેને સમજાવવા માટે જતા અમન પરમારે સાહેદ રાકેશભાઈ મનસુખભાઈ રાઠોડ ઉપર છરી વડે પીઠના ભાગે હુમલો કરીને ગંભીર ઈજા કરી હતી તથા કાર્તિક પરમારે સાહેદ બૂટાભાઈ જીવાભાઇ રાઠોડને છરી વડે પીઠના વાગે ઘા મારીને તથા હાથના ભાગે ગંભીર ઇજા કરી હતી જ્યારે મોહિત પરમારે સાહેદોને ઢીકાપાટુનો માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને ત્યારબાદ મનસુખભાઈ રાઠોડ દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે




Latest News