રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ મોરબીના ધુળકોટ ગામે સાપ કરડી જતા નવ વર્ષની બાળકીનું મોત મોરબીના કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, વસંત પ્લોટ અને દાઉદી પ્લોટમાં આજથી અશાંતધારો લાગુ પ્રેમ પ્રકરણમાં ફાયરિંગ !: મોરબીમાં ઘર પાસે આંટા ફેરા કરતાં યુવાન ઉપર યુવતીના માતા, પિતા અને ભાઈ સહિત 5 શખ્સોએ કર્યો હુમલો, સામસામી ફરિયાદ મોરબીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત માળીયા (મી)ના કાજરડા ગામ નજીક ટીખડ કરતાં શખ્સને ટોકનારા યુવાનને ધોકો મારીને માથું ફાડી નાખ્યું
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ


SHARE









મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમનો દંડ ત્થા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે રકમ ચુકવવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ અનિલભાઈ માવજીભાઈ ડાભીએ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલ પાસેથી મિત્રતાના સંબંધના દાવે છ માસની મુદત માટે 6 લાખ રૂપિયા લીધા હતા જે હાથ ઉછીના લીધેલ રૂપિયા અનિલભાઈ માવજીભાઈ હડીયલએ 6 લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. અને આરોપીએ ફરીયાદીને પ્રોમીશરી નોટ લખી આપેલ હતી ત્યારબાદ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલે પાકતી તારીખે ચેક તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક આરોપીના એકાઉન્ટમાં પૂરતુ ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેમના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક મારફત નોટીશ આપી હતી છતાં પણ આરોપીએ ફરીયાદીને ચેકની રકમ નહી ચુકવતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેશ નં-4056/23 થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 અન્વયે ફરીયાદ દાખલ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદીના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટકએ કરેલ દલીલ અને રાજુયાતોને ધ્યાને લઈને જજ એસ.એ.મેમણ સાહેબે આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની બમણી રકમ 12 લાખનો દંડ અને ચેકની રકમ 6 લાખ ઉપર ફરીયાદની તારીખથી ચુકવણી સુધીની તારીખનુ વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા, વિશાલભાઈ ચાવડા તથા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.






Latest News