મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ


SHARE







મોરબીની કોર્ટમાં ચાલી ગયેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા, ડબલ રકમનો દંડ

મોરબીની કોર્ટમાં ચેક રીર્ટનનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની ડબલ રકમનો દંડ ત્થા ચેકની રકમ 9 ટકાના વ્યાજ સાથે રકમ ચુકવવા માટેનો કોર્ટે આદેશ કર્યો છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ અનિલભાઈ માવજીભાઈ ડાભીએ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલ પાસેથી મિત્રતાના સંબંધના દાવે છ માસની મુદત માટે 6 લાખ રૂપિયા લીધા હતા જે હાથ ઉછીના લીધેલ રૂપિયા અનિલભાઈ માવજીભાઈ હડીયલએ 6 લાખ રૂપિયાનો ચેક આપેલ હતો. અને આરોપીએ ફરીયાદીને પ્રોમીશરી નોટ લખી આપેલ હતી ત્યારબાદ ફરીયાદી મનહરભાઈ રમેશભાઈ હડીયલે પાકતી તારીખે ચેક તેમના બેન્ક એકાઉન્ટમાં જમા કરાવતા ચેક આરોપીના એકાઉન્ટમાં પૂરતુ ભંડોળ ન હોવાના કારણે રિટર્ન થયો હતો જેથી ફરીયાદીએ તેમના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટક મારફત નોટીશ આપી હતી છતાં પણ આરોપીએ ફરીયાદીને ચેકની રકમ નહી ચુકવતા ફરિયાદીએ મોરબીની કોર્ટમાં ફોજદારી કેશ નં-4056/23 થી ધી નેગોશીએબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ- 138 અન્વયે ફરીયાદ દાખલ કરી હતી અને આ કેસ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં ફરીયાદીના વકીલ નિકુંજ પુનમચંદભાઈ કોટકએ કરેલ દલીલ અને રાજુયાતોને ધ્યાને લઈને જજ એસ.એ.મેમણ સાહેબે આરોપીને એક વર્ષની સજા, ચેકની રકમની બમણી રકમ 12 લાખનો દંડ અને ચેકની રકમ 6 લાખ ઉપર ફરીયાદની તારીખથી ચુકવણી સુધીની તારીખનુ વાર્ષિક 9 ટકા વ્યાજ સહીતની રકમ ચુકવવાનો હુકમ કરેલ છે આ કેસમાં ફરીયાદી વતી વકીલ નિકુંજભાઈ કોટક, હાર્દિકભાઈ ગોસ્વામી, હિરેનભાઈ ગોસ્વામી, કિશોરભાઈ સુરેલા, વિશાલભાઈ ચાવડા તથા અશોકભાઈ દામાણી રોકાયેલ હતા.






Latest News