મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં સિરામિક પરિવાર-સમસ્ત પાટીદાર સમાજ દ્વારા સરદાર પટેલની જન્મજયંતી ઉજવણી કરાઇ

સરદાર વલ્લભભાઈ પટેલની 150 મી જન્મજયંતીની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે દરમિયાન મોરબીની વાત કરીએ તો મોરબી સિરામિક એસો. પરિવાર તથા સમસ્ત પાટીદાર સમાજ દ્વારા મોરબી શહેરના સનાળા રોડ ઉપર નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતે પુષ્પાંજલિના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ એરવાડીયા, હરેશભાઈ બોપલિયા અને સંદીપભાઈ દેત્રોજા તેમજ માજી પ્રમુખ કિરીટભાઈ ઓગણજા અને મોટી સંખ્યામાં સીરામીક ઉદ્યોગકારો હાજર રહ્યા હતા તે ઉપરાંત મોરબી પાટીદાર સમાજના યુવા આગેવાન મનોજભાઈ પનારા સહિતની પાટીદાર યુવાનોની ટીમ તથા મોરબી જિલ્લા પંચાયતના સદસ્ય મહેશભાઈ પારજીયા, મોરબી તાલુકા પંચાયતની કારોબારી સમિતિના માજી ચેરમેન કે.ડી. પડસુંબિયા અને જુદી જુદી રાજકીય પાર્ટીઓ સાથે જોડાયેલા પાટીદાર સમાજના અગ્રણીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને સરદાર વલ્લભભાઈ પટેલને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને હારતોરા કરવામાં આવ્યા હતા આ તકે મોરબી સિરામિક એસો.ના પ્રમુખ મનોજભાઈ પટેલે જણાવ્યું હતું કે આગામી સમયમાં મોરબી શહેરમાં જુદીજુદી બેથી ત્રણ જગ્યાએ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવામાં આવશે. જેમાં વીસી હાઈસ્કૂલ પાસે સરદાર પટેલનું સ્ટેચ્યું છે તેને સિરામિક પરિવાર દ્વારા રિનોવેશન કરવામાં આવશે અને રવાપર ચોકડી સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ મુકવા માટેની મંજૂર માંગવામાં આવેલ છે.




Latest News