મોરબીમાં રિવરફ્રન્ટ-પ્રધાનમંત્રી આવાસ યોજનાના કવાર્ટર બનાવવા કમિશ્નરને કરાઇ રજૂઆત મોરબીમાં શ્યામસુંદર ગૌશાળા લજાઈમાં ભગવાન નૃહસિંગ પ્રાગટ્ય દિવસ ઉજવાયો મોરબીમાં શ્રી ઉમિયા આરોગ્ય સેવા કેન્દ્ર-પાટીદાર વુમન્સ પાવર સંસ્થા દ્વારા કેન્સર નિદાન (સ્ક્રીનીંગ) કેમ્પનું આયોજન હળવદ નજીક કેનાલમાં ન્હાવા ગયેલા બે સગા ભાઈ ડૂબી ગયા, એકનો મૃતદેહ મળ્યો, બીજાની શોધખોળ શરૂ મોરબી RTO દ્વારા ટુ અને ફોર વ્હીલર વાહનોની જૂની સીરીઝના બાકી નંબરો માટે ઓનલાઈન હરાજી કરાશે મોરબી જિલ્લાના પેન્શનરોએ હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત મોરબીમાં આધેડે કરેલા આપઘાતના ગુનામાં પકડાયેલા 3 વ્યાજખોરના 1 દિવસના રિમાન્ડ મંજૂર: 4 ની શોધખોળ મોરબીમાં હોટલના ધંધાર્થીએ કરેલ આપઘાતના બનાવમાં 7 વ્યાજખોરો સામે ફરિયાદ: 3 ની ધરપકડ
Breaking news
Morbi Today

જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી


SHARE













જો ખેતીના નુકશાનની સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને કરાશે ઉગ્ર આંદોલન: મહેશભાઇ રાજકોટિયાની ચીમકી

ટંકારા તાલુકાના ખેડૂતોને માવઠા કારણે થયેલા ભારે નુકસાન બદલ અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય અને દેણા માફી કરવાની તાત્કાલિક જાહેર કરવામાં આવે તેવી મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય દ્વારા માંગ કરવામાં આવી છે અને તેની લેખિત રજૂઆત સાંસદ, મંત્રી તેમજ ધારાસભ્યોને મોકલવી આપેલ છે. 

મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસનાં માજી સભ્ય મહેશભાઇ રાજકોટિયા દ્વારા હાલમાં સાંસદ પરસોતમભાઇ રૂપાલા, મંત્રી કાંતિલાલ અમૃતિયા તેમજ ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, જીતેન્દ્રભાઈ સોમાણી અને પ્રકાશભાઈ વરમોરાને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, ટંકારા તાલુકામાં અણધાર્યા માવઠાની પરિસ્થિતિએ ખેડૂતોના પાકને નુકસાન કર્યું ચ એયને કપાસ, મગફળી સહિતના તમામ મુખ્ય પાક જમીનમાં જ સડી ગયા છે. ગત તા. 3/11/2025 ના રોજ ટંકારાના 45 ગામના ખેડૂતો, આગેવાનો અને સરપંચોને સાથે રાખીને આવેદનપત્ર મલતદારને આપવામાં આવ્યું હતું.

વ્કધુમાં તેઓએ જણાવ્યુ છે કે, ટંકારા તાલુકા ખેડૂતોના પાકના નુકસાન બદલ સહાય પેકેજ આપવામાં આવે તે અન્ય તાલુકાની સરખામણીમાં ઓછું સહાય પેકેજ જાહેર થવાની શક્યતા છે જેથી કરીને ખેડૂતોની મશ્કરી સમાન સહાય ન આપીને ખેડૂતોને હૂંફ મળે તેવી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે. અંતમાં મહેશભાઈએ કહ્યું હતું કે, ટંકારા તાલુકાના ખેડૂતોને વધુ નુકસાન થયેલ છે જેથી અન્ય જિલ્લાના તાલુકાની સમકક્ષ સહાય મળવી જરૂરી છે. જો ખેડૂત ભાઈઓ સાથે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરવામાં આવશે તો ચલાવી લેવામાં આવશે નહીં.

ખરેખર દરેક ખેડૂત દેશનો અન્નદાતા છે. જો આ મુશ્કેલીની ઘડીમાં પણ ખેડૂતોને યોગ્ય વળતર અને ન્યાય ન મળે તો તેમની સ્થિતિ વધુ નાજુક બનશે. અને આપધાત કરવા સિવાય કોઈ રસ્તો નહીં બચે. તેથી કોંગ્રેસનાં આગેવાને જગતના તાતને બાયો ચડાવી ન પડે તે પહેલા ટંકારા તાલુકાને તાત્કાલિક આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરીને પાક નુકસાનની સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરી છે. અને ખેડૂતોના પાક ધિરાણ સંપૂર્ણ પણે માફ કરવામાં આવે તેવી પણ ખેડૂતો વતી માંગણી કરેલ છે. અને જો સહાય ચૂકવવામાં રાજકીય ભેદભાવ જોવા મળશે તો ખેડૂતોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.






Latest News