મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રિટેસ્ટ માટે ટંકારાના ૨૫ ગામોની પસંદગી: શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા


SHARE













કેન્દ્ર સરકાર દ્વારા વસ્તી ગણતરી-૨૦૨૭ પ્રિટેસ્ટ માટે ટંકારાના ૨૫ ગામોની પસંદગી: શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા

ભારતની વસ્તી ગણતરી૨૦૨૭ ને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર દ્વારા દેશવ્યાપી પ્રિટેસ્ટિંગની પ્રક્રિયા હાથ ધરવામાં રહી છે. જે અંતર્ગત પ્રિટેસ્ટિંગ માટે મોરબી જિલ્લાના ટંકારા તાલુકાની પસંદગી કરવામાં આવી છે અને ૨૫ ગામનો આ પ્રક્રિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે. જે કામગીરીના ભાગરૂપે ટંકારામાં એમપી દોષી વિદ્યાલય ખાતે બે બેચમાં શિક્ષકોને વિશેષ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમમાં ગાંધીનગરથી આવેલી ટીમ દ્વારા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગામોમાં વસ્તી પ્રોફાઇલ, પરિવારોની સંખ્યા, વર્ગીકરણ, શિક્ષણ, રોજગાર, આવાસ સુવિધા, ખાણી પાણી અને સ્વચ્છતા જેવી માહિતીઓને ડિજિટલ પદ્ધતિથી ચોક્કસ રીતે એકત્ર કરવાની પદ્ધતિ સમજાવવાનો છે. જેથી આ તાલીમ દ્વારા  વસ્તી ગણતરીની કામગીરી ડિજિટલ રૂપે કરવા મોબાઈલ એપમાં સર્વે, ડિજિટલ ડેટા કલેકશન, ગણતરીની એન્ટ્રી અને કુટુંબની લેવાની જરૂરી માહિતી તથા વસતી ગણતરી અંગે પ્રાથમિક જાણકારી શિક્ષકોને આપવામાં આવી હતી. ઉપરાંત સર્વે સમયે લોકો સાથે સદભાવપૂર્ણ વ્યવહાર, ડેટાની ગુપ્તતા અને સચોટતા અંગે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ટંકારા તાલુકાના કુલ ૨૫ ગામો માટે પસંદ કરાયેલા શિક્ષકો આગામી દિવસોમાં પ્રાયોગિક સર્વે હાથ ધરશે. આ પ્રિટેસ્ટના આધારે આગામી મુખ્ય વસ્તી ગણતરી પ્રક્રિયા વધુ અસરકારક બનશે. આ તાલીમમાં તાલુકાના મામલતદાર પી.એન. ગોર, નાયબ મામલતદાર પી.એચ. પરમાર અને કર્મચારીઓ, શાળાના શિક્ષકો અને તાલીમ માટે નિષ્ણાત ટીમ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.




Latest News