મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી કૃષિ મંત્રીએ કરેલી જાહેરાતના ધજાગરા ?: મોરબીના જેતપર ગામે આજની તારીખે પણ ખાનગી કંપનીના વીજ પોલ ઊભા કરવાનું કામ ચાલુ! મોરબીમાં સ્પામાં કામ કરતા લોકોના બાયોડેટા ન આપવા સબબ બે સ્પા સંચાલકો સામે કાર્યવાહી, માટેલ અને ઢુવાથી બે બાઈકની ચોરી વાંકાનેરના રાતીદેવડી ગામે નોનવેજની લારીએ ગયેલ યુવાનને જાતિ પ્રત્યે હડધુત કરી ધોકા-પાઇપ વડે માર માર્યો,વાંકાનેરના કાશીપર ગામે પિતા-પુત્ર ઉપર હુમલો મોરબીમાં હિન્દુ-મુસ્લિમ છોકરા-છોકરીના લગ્ન કરાવી આપવાનું કહી યુવાન ઉપર હુમલો, સામસામે ફરિયાદ નોંધાઇ મોરબી : પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના છેલ્લા ૨ હપ્તા જમા ન થતા રજુઆત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા
Breaking news
Morbi Today

હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી પહેલા ઢગલામાં આગ લાગતાં અંદાજે 400 મણ કપાસ ખાખ


SHARE









હળવદ માર્કેટ યાર્ડમાં કપાસની હરાજી પહેલા ઢગલામાં આગ લાગતાં અંદાજે 400 મણ કપાસ ખાખ

હળવદમાં આવેલ માર્કેટ યાર્ડમાં સોમવારે સવારે રાબેતા મુજબ કપાસની હરાજી શરૂ કરવામાં આવી હતી તેવામાં કોઈ કારણોસર કપાસના ઢગલામાં આગ લાગી હતી અને જોત જોતામાં 7 થી 8 જેટલા કપાસના ઢગલામાં આગ પ્રસરી ગઈ હતી અને આગને કાબુમાં લેવા માટે તાત્કાલિક પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જોકે, કપાસના જે ઢગલામાં આગ લાગી હતી તે કપાસ બળીને ખાખ થઈ ગયો હતો અને મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.

હળવદ માર્કેટ યાર્ડમાં આવેલ મહારાણા પ્રતાપ સેડમાં કોઈ કારણોસર કપાસના ઢગલા જે જગ્યાએ કરવામાં આવ્યા હતા ત્યા આગ લાગી હતી અને જોત જોતામાં 7 થી 8 ઢગલા આગની ઝપેટમાં આવી ગયા હતા. જેથી કપાસ બળી ગયો હતો જો કે, આગ આગળ ન વધે તેના માટે ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી જેથી તાત્કાલિક ફાયરની ટિમ ત્યાં આવી હતી અને પાણીનો માર કરીને આગને કાબુમાં લેવામાં આવી હતી જો કે, આગ કાબુમાં આવી ત્યાં સુધીમાં અંદાજે 350 થી 400 મણ કપાસ બળીને ખાખ થઈ ગયો હતો છે. જેથી ખેડૂતો પર આફત આવી પડી હતી. હળવદ માર્કેટ યાર્ડના સેક્રેટરી મહેશભાઈ પટેલે જણાવ્યું હતું કે, જે કપાસ આગમાં બળીને ખાખ થયો છે તેનો તોલ થયો ન હતો પરંતુ યાર્ડ દ્વારા ખેડૂતોને નુકસાન ન થાય તેવી કાર્યવાહી કરવામાં આવશે.






Latest News