તેરા તુજ કો અર્પણ: માળીયા (મી)માં ખોવાયેલ 1.37 લાખના મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા મોરબીમાં રોગ છુપાવેલ હોય તેવું કહીને વીમો આપવાનો નનૈયો કરનાર વીમાને વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ વાંકાનેરના વિઠલપર ગામ પાસેથી 252 બોટલ દારૂ ભરેલ કાર સહિત 8.82 લાખનો મુદામાલ કબ્જે, એક આરોપી પકડાયો, એકની શોધખોળ દૂરદર્શનના માધ્યમથી મોરબીના ખેતીવાડી અધિકારીએ મધમાખીના મહત્વ વિષે રજૂ કર્યું વૈજ્ઞાનિક માર્ગદર્શન મોરબી જિલ્લામાં દિકરીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ‘વહાલી દિકરી’ યોજના હેઠળ ૧.૧૦ લાખની સહાય મેળવવા ફોર્મ ભરવાની ઝુંબેશ મોરબી પાલિકાના માજી ઉપપ્રમુખ અને દીકરાની હત્યાના ગુનામાં ચાર આરોપીઓને આજીવન કેદની સજા મોરબીના જિલ્લા શિક્ષણ તાલીમ ભવન દ્વારા એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ યોજાયો મોરબી જિલ્લામાં પાથરવામાં આવી રહેલ ખાનગી કંપનીઓની વીજ લાઇનોના વળતરના વિરોધમાં સોમવારે ટંકારાથી મોરબી સુધી ખેડૂતોની ટ્રેક્ટર રેલીનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીમાં બે મંત્રીઓની હાજરીમાં આતિશબાજી કરીને બિહાર વિધાનસભાના વિજયને વધાવતો શહેર ભાજપ પરિવાર  


SHARE











મોરબીમાં બે મંત્રીઓની હાજરીમાં આતિશબાજી કરીને બિહાર વિધાનસભાના વિજયને વધાવતો શહેર ભાજપ પરિવાર  

બિહાર વિધાનસભા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું છે જેમાં ઐતિહાસિક બેઠકો એનડીએને મળી છે ત્યારે વિપક્ષ દ્વારા જે આક્ષેપો કરવામાં આવતા હતા તે આક્ષેપોનો જડબાતોડ જવાબ પ્રજાએ આપ્યો છે જેની ઉજવણી આજે મોરબીના નગર દરવાજા ચોકમાં રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં કરવામાં આવી હતી ત્યારે આતિશબાજી કરીને એકમેકના મો મીઠા કરાવવામાં આવ્યા હતા.

છેલ્લા ઘણા સમયથી વર્તમાન સરકાર ઉપર વોટ ચોરીનો ગંભીર આક્ષેપ કોંગ્રેસનાં રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવી રહ્યો હતો તેવા સમયની વચ્ચે બિહારની અંદર વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી અને 243 બેઠક માટે યોજાયેલ ચૂંટણીના મતદાનની શુક્રવારે મત ગણતરી કરવામાં આવી હતી અને વહેલી સવારથી જ્યારે મત ગણતરી શરૂ થઈ ત્યારથી જ એનડીએ ના તમામ ઉમેદવારો આગળ હતા અને હાલમાં મતગણતરી લગભગ પૂર્ણ થયેલ છે ત્યારે 243 પૈકી 203 જેટલી બેઠકો ઉપર એનડીએ ના ઉમેદવારો વિજેતા બન્યા છે જેથી ગુજરાત સહિત દેશની અંદર ઠેરઠેર ભાજપ અને એનડીએ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે મોરબીના નગર દરવાજા ચોકમાં આજે મોરબી શહેર ભાજપના પ્રમુખ રિશીપભાઈ કૈલા, મહામંત્રી ભુપતભાઈ જારીયા તથા ભાવેશભાઈ કંઝારીયાની આગેવાની હેઠળ અતિશબાજી કરીને એકમેકને મો મીઠા કરાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં રાજ્યના મંત્રી અને મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા તેમજ મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા હાજર રહ્યા હતા આ ઉપરાંત લાખાભાઇ જારીયા, પ્રદીપભાઇ જારીયા, જયંતિભાઈ પટેલ, હિરેનભાઇ પારેખ, હસુભાઈ પંડ્યા, કેતનભાઈ વિલપરા, જયદીપભાઈ કંડિયા, મેઘરાજસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, પ્રકાશભાઈ ચબાડ, અનોપસિંહ જાડેજા, આસિફભાઈ ઘાંચી, પરેશભાઈ કચોરીયા, વિક્રમભાઈ વાંક, રૂચિરભાઈ કારીયા, મહિલા ભાજપના પ્રમુખ ભાવનાબેન કૈલા સહિતના આગેવાનો હાજર રહયા હતા. અને ભારત માતા કી જય વંદે માતરમની ગુંજ સાથે મોરબીનો નહેરૂ ગેટ ચોક ગુંજી ઉઠ્યો હતો આ તકે મંત્રી સહિતના ભાજપના આગેવાનોએ એકમેકના મો મીઠા કરાવીને બિહારના વિજયને વધાવ્યો હતો.






Latest News