મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત


SHARE





ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું અને તે બાળકના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવાની અંદર સગીર બાળક પડી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કુવાના પાણીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાના કારણે સગીર બાળકનું મોત નીપજયું હતું તે બાળકના મૃતદેહને ખાટલાની મદદથી ફાયરની ટીમે કૂવાની બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના સગીર બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકનું નામ જયદીપ મહેશભાઈ ભાભોર હોવાનું ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકી પાસેથી જાણવા મળેલ છે.




Latest News