મોરબીના બરવાળા ગામની સરસ્વતી ભગવતી વિદ્યાલય અને મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલનું ધો. 12 સામાન્ય પ્રવાહનું 100 ટકા પરિણામ પશ્ચિમ બંગાળ સહિતના રાજ્યોમાં ભાજપના વિજયને મોરબી જિલ્લા ભાજપે આતિશબાજી કરીને વધાવ્યો મોરબીમાં દીકરીઓને પોલીસ-લોકરક્ષકની ભરતી માટે તાલીમ આપતા નિવૃત આર્મી ઓફિસરના કાર્યને મુખ્યમંત્રીએ બિરદાવ્યૂ મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત


SHARE













ટંકારાના જીવાપર ગામે વાડીના 60 ફૂટ ઊંડા કૂવામાં પડી જવાથી સગીર બાળકનું મોત

ટંકારાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ 60 ફૂટ ઊંડા કૂવામાં કોઈ કારણોસર સગીર બાળક પડી ગયો હતો જેથી તેનું પાણીમાં ડૂબી જવાના કારણે મોત નીપજયું હતું અને તે બાળકના મૃતદેહને ફાયરની ટીમે બહાર કાઢ્યો હતો અને મૃતક બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

ટંકારા તાલુકાના જીવાપર ગામે વાડી વિસ્તારમાં આવેલ કુવાની અંદર સગીર બાળક પડી ગયો હોવાની જાણ મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ઘટનાને પહોંચી હતી અને કુવાના પાણીમાં પડી જવાથી પાણીમાં ડૂબી જવાના કારણે સગીર બાળકનું મોત નીપજયું હતું તે બાળકના મૃતદેહને ખાટલાની મદદથી ફાયરની ટીમે કૂવાની બહાર કાઢ્યો હતો અને ત્યારબાદ તેના સગીર બાળકના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા ટંકારા પોલીસે બનવાની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને મૃતક બાળકનું નામ જયદીપ મહેશભાઈ ભાભોર હોવાનું ફાયર વિભાગના અધિકારી જયેશભાઇ ડાકી પાસેથી જાણવા મળેલ છે.






Latest News