માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ


SHARE















મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ

મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચાલી રહેલ S.I.R ની કામગીરીમાં સમયગાળો વધારવામાં આવે અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઇન્ટ સેક્રેટરીમુખ્ય ચુંટણી કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સમિતિના જોઇન્ટ સેક્રેટરી કે.ડી. બાવરવાએ હાલમાં મુખ્ય ચુંટણી કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કમીગીરી ચાલી રહી છે. જેમાં બી.એલ.ઓ. ઘરે ઘરે એક વાર ગણીતરી પત્રક પહોચાડે છે. અને બીજીવારે તે લેવા જાય છે જે કામગીરી બાબતે મોરબીના એક બી.એલ.ઓ. દ્વારા નામ નહિ જણાવવાની શરતે કહ્યું હતું કે, અમોને ૧૦૦ % કામગીરી બતાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી અમો ઓનલાઈન ૧૦૦% કામગીરી બતાવી દઈએ છીએ પરંતુ હકીકતમાં અમોને ૧૦૦ % લોકો મળતા નથી. અમો ખુબજ ટેન્સનમાં છીએ. આ ઉપરાંત આ કામગીરીમાં જે વિસ્તારમાં ઓછું ભણેલા લોકોનો વસવાટ  છે. તેવા વિસ્તારમાં લોકો પોતાની વિગત પોતાની જાતે ભરી શકે તેમ નથી આવા કેસમાં બી.એલ.ઓ. દ્વારા જો આ વિગતો ભરવાની કામગીરી કરવામાં આવે તો જ આ કામગીરી સારી રીતે થઈ શકે તેમ છે. અને આ કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમયગાળો પુરતો ન હોય તેમાં વધારો કરવા અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની માંગણી કરી છે.






Latest News