મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ


SHARE













મોરબી સહિત ગુજરાતમાં S.I.R ની કામગીરી માટે સમય વધારીને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની આપની માંગ

મોરબી જિલ્લા સહિત રાજ્યમાં ચાલી રહેલ S.I.R ની કામગીરીમાં સમયગાળો વધારવામાં આવે અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવામાં આવે તેવી મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશના જોઇન્ટ સેક્રેટરીમુખ્ય ચુંટણી કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબીમાં રહેતા આમ આદમી પાર્ટીના પ્રદેશ સમિતિના જોઇન્ટ સેક્રેટરી કે.ડી. બાવરવાએ હાલમાં મુખ્ય ચુંટણી કમિશનરને રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છેકે, ચુંટણી પંચ દ્વારા S.I.R. ની કમીગીરી ચાલી રહી છે. જેમાં બી.એલ.ઓ. ઘરે ઘરે એક વાર ગણીતરી પત્રક પહોચાડે છે. અને બીજીવારે તે લેવા જાય છે જે કામગીરી બાબતે મોરબીના એક બી.એલ.ઓ. દ્વારા નામ નહિ જણાવવાની શરતે કહ્યું હતું કે, અમોને ૧૦૦ % કામગીરી બતાવવાની ફરજ પાડવામાં આવે છે. જેથી અમો ઓનલાઈન ૧૦૦% કામગીરી બતાવી દઈએ છીએ પરંતુ હકીકતમાં અમોને ૧૦૦ % લોકો મળતા નથી. અમો ખુબજ ટેન્સનમાં છીએ. આ ઉપરાંત આ કામગીરીમાં જે વિસ્તારમાં ઓછું ભણેલા લોકોનો વસવાટ  છે. તેવા વિસ્તારમાં લોકો પોતાની વિગત પોતાની જાતે ભરી શકે તેમ નથી આવા કેસમાં બી.એલ.ઓ. દ્વારા જો આ વિગતો ભરવાની કામગીરી કરવામાં આવે તો જ આ કામગીરી સારી રીતે થઈ શકે તેમ છે. અને આ કામગીરી માટે નક્કી કરવામાં આવેલ સમયગાળો પુરતો ન હોય તેમાં વધારો કરવા અને બી.એલ.ઓ.ને સહાયક કર્મચારી આપવાની માંગણી કરી છે.




Latest News