મોરબીના જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૨૫૦ દર્દીઓએ લાભ લીધો ભુજ ખાતે ગુજરાતની મોટી ઓપન કચ્છ ડે નાઇટ સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સિઝન-૪ નો શુભારંભ મોરબીમાં ચોમાસાના આગોતરા આયોજન માટેની કલેકટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી
Breaking news
Morbi Today

ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન


SHARE













ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન

ટંકારા બાબરીયા સુરાપુરાધામ ખાતે તા ૧૦ ફેબ્રુઆરીએ ૨૬ દિકરીઓના સમુહલગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે અત્યારથી દિકરા-દિકરીઓના નામની નોંધણી સહિતની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મની પાવનધરા ટંકારાના ટોળ-અમરાપર રોડ નદી કાંઠે આશરે નવસો વર્ષ પહેલા કોળી ઠાકોર બાબરીયા કુળના દેવજીદાદા મહાન શુરવીર થય ગયા છે. અહીં તેમની નવસો વર્ષથી ખાંભી છે. સમસ્ત બાબરીયા પરિવારના સુરાપુરાદાદા છે. આ ભવ્ય ઇતિહાસ ઉજાગર થયા અને બાબરીયા સુરાપુરાધામ તરીકે ઓળખાય તેના માટે આ સ્થળે સમુહલગ્નોત્સવનું જાજરમાન આયોજન આગામી તા. ૧૦/૨ ને મંગળવારના રોજ કરવામાં આવ્યું છે જેમાં ૨૬ દિકરીઓના સમુહલગ્ન યોજાશે. સમસ્ત બાબરીયા પરિવારજનો અને મોરબી જીલ્લા કોળી ઠાકોર ગ્રુપના તમામ કાર્યકરોની મહેનતથી તેમજ દાતાઓના સાથ સહકારથી આ સમુહલગ્નમાં ભાગ લેનાર નવદંપતિઓને કરિયાવર આપવામાં આવશે. અને સમુહલગ્નના આયોજકો દ્વારા જમણવાર સહિતની વ્યવસ્થા કરવામાં આવશે. તેવું મુખ્ય આયોજક અને દાતા દિપકભાઈ બાબરીયાએ જણાવ્યુ છે. આ સમુહલગ્નમાં જોડાવા માટે ફોર્મ મેળવવા તેમજ આ સમુહલગ્નમાં સાથ-સહકાર આપવા માટે બાબરીયા સુરાપુરાધામ, ટોળ-અમરાપર ખાતે વહેલા તે પહેલાના ઘોરણે ફોર્મ મેળવી લેવા જણાવ્યુ છે અને વધુ માહિતી માટે ૯૯૨૪૯ રર૭૨૪ અને ૯૧૦૬૫ ૧૮૧૮૯ ઉપર સંપર્ક કરવા માટે જણાવ્યુ છે.






Latest News