માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સોમ, મંગળ અને ગુરૂવારે એકતા પદયાત્રા યોજાશે


SHARE















મોરબી જીલ્લામાં સોમ, મંગળ અને ગુરૂવારે એકતા પદયાત્રા યોજાશે

સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર ગુજરાત રાજ્યની સાથે દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે યોજાઇ રહેલા વિવિધ કાર્યક્રમો અન્વયે મોરબી જિલ્લામાં પણ વિધાનસભા મત વિસ્તાર મુજબ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ કાર્યક્રમો અન્વયે તા ૧૭/૧૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ૬૬-ટંકારા પડધરી વિધાનસભા મત વિસ્તાર માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું આર્ય સમાજ ટંકારા ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે હરબટીયાળી ખાતે સમાપન કરવામાં આવશે. તો ૧૮/૧૧ ના રોજ સવારે ૮:૦૦ કલાકે ૬૭-વાંકાનેર મત વિસ્તાર વિધાનસભા માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું કિરણ સીરામીક રાતી દેવડી ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે અને વાંકાનેર ટાઉનહોલ ખાતે સમાપન કરવામાં આવશે. જયારે તા ૨૦/૧૧ ના રોજ સવારે ૦૯:૦૦ કલાકે ૬૫-મોરબી માળીયા વિધાનસભા મત વિસ્તાર માટેની એકતા પદયાત્રા યોજાશે. જેનું સરદાર પટેલના સ્ટેચ્યુ, નવા બસ સ્ટેન્ડની સામેથી પ્રસ્થાન કરવામાં આવશે અને મણીમંદિર/ શક્તિ ચોક ખાતે સમાપન કરવામાં આવશે. આ એકતા પદયાત્રા દરમિયાન રૂટ પર વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવશે, શ્રી સરદાર પટેલના જીવન આધારિત પ્રદર્શન તથા યોગ પ્રદર્શન કરવામાં આવશે અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવશે. આ પદયાત્રામાં વધુને વધુ જોડાવવા જિલ્લાવાસીઓને જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.






Latest News