મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સ


SHARE













માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબી જિલ્લાના માળિયા મિયાણાં તાલુકાનાં વર્ષામેડી ગામ પાસે વર્ષ 2021 માં આધેડની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 20 હજારનો દંડ કર્યો છે.

માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે રહેતા ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ ગત તા. 21/5/21 ના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા હરેશભાઈવર્ષામેડી ગામે રહેતા દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખીને દિનેશ ઉર્ફે નીનોએ છરી વડે ફરિયાદી તેઓના પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (51) સાથે તેના બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે હુમલો કર્યો હતો અને દિનેશે ફરિયાદી અને તેના પતિને ગાળો આપીને ફરિયાદીના પતિ ભરતભાઈને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની તા 23/5/21 ના રોજ ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ પી.ડી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (29) રહે વર્ષામેડી તાલુકો માળિયા વાળાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.




Latest News