માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સ


SHARE















માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબી જિલ્લાના માળિયા મિયાણાં તાલુકાનાં વર્ષામેડી ગામ પાસે વર્ષ 2021 માં આધેડની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 20 હજારનો દંડ કર્યો છે.

માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે રહેતા ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ ગત તા. 21/5/21 ના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા હરેશભાઈવર્ષામેડી ગામે રહેતા દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખીને દિનેશ ઉર્ફે નીનોએ છરી વડે ફરિયાદી તેઓના પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (51) સાથે તેના બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે હુમલો કર્યો હતો અને દિનેશે ફરિયાદી અને તેના પતિને ગાળો આપીને ફરિયાદીના પતિ ભરતભાઈને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની તા 23/5/21 ના રોજ ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ પી.ડી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (29) રહે વર્ષામેડી તાલુકો માળિયા વાળાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.






Latest News