મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સ


SHARE











માળિયા (મી)ના વર્ષામેડી ગામ નજીક કરાયેલ આધેડની હત્યાના ગુનામાં આરોપીને આજીવન કેદની સજા

મોરબી જિલ્લાના માળિયા મિયાણાં તાલુકાનાં વર્ષામેડી ગામ પાસે વર્ષ 2021 માં આધેડની છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી જે કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપીને આજીવન કેદની સજા તેમજ 20 હજારનો દંડ કર્યો છે.

માળિયા મિયાણાના મોટા દહીંસરા ગામે રહેતા ભાનુબેન ભરતભાઈ વાઘેલાએ ગત તા. 21/5/21 ના રોજ માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા હરેશભાઈવર્ષામેડી ગામે રહેતા દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની બહેન સાથે કોર્ટમાં પ્રેમલગ્ન કર્યા હતા જે બાબતનું મનદુઃખ રાખીને દિનેશ ઉર્ફે નીનોએ છરી વડે ફરિયાદી તેઓના પતિ ભરતભાઈ ગંગારામભાઈ વાઘેલા (51) સાથે તેના બાઈકમાં વર્ષામેડીથી પરત પોતાના ઘરે જતા હતા ત્યારે હુમલો કર્યો હતો અને દિનેશે ફરિયાદી અને તેના પતિને ગાળો આપીને ફરિયાદીના પતિ ભરતભાઈને છરીના ઘા માર્યા હતા જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીએ નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયાની તા 23/5/21 ના રોજ ધરપકડ કરી હતી આ કેસ મોરબીની ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં જજ પી.ડી.શ્રીવાસ્તવ સમક્ષ ચાલી ગયો હતો જેમાં જિલ્લાના સરકારી વકીલ વિજયભાઈ જાની દ્વારા કરવામાં આવેલ દલીલ અને રજૂ કરવામાં આવેલ આધાર પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી દિનેશ ઉર્ફે નીનો પ્રભુભાઈ મહાલીયા (29) રહે વર્ષામેડી તાલુકો માળિયા વાળાને હત્યાના ગુનામાં આજીવન કેદની સજા અને 20 હજારનો દંડ કર્યો હતો અને જો આરોપી દંડની રકમ ન ભારે તો વધુ 2 વર્ષની સાદી કેદની સજાનો આદેશ કર્યો છે.






Latest News