મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં સાસુની હત્યા કરાવનારા જમાઈના મિત્રની હવે ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ


SHARE













મોરબીમાં સાસુની હત્યા કરાવનારા જમાઈના મિત્રની હવે ધરપકડ: રિમાન્ડ લેવા તજવીજ

મોરબીના આંદરણા ગામની સીમમાંથી એક મહિના પહેલા મહિલાની સળગાવેલી હાલતમાં લાશ મળી હતી જેની તપાસ દરમ્યાન તે મહિલાની હત્યા તેના જ જમાઈએ કરવી હોવાનું સામે આવ્યું હતું અને આરોપી જમાઈની અગાઉ આ ગુનામાં ધરપકડ કરી હતી જો કે, હાલમાં આ ગુનામાં આરોપી જમાઈના મિત્રની ધરપકડ કરવામાં આવી છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરી છે.

મોરબીના આંદરણા ગામની સીમમાંથી ગત તા 13/10 ના રોજ સળગેલી હાલતમાં મહિલાની લાશ મળી આવી હતી જે અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હત્યા અને પુરવાનો નાશ કરવાની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો. અને મૃતક મહિલાની ઓળખ મેળવવા માટે અને આરોપીને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીની ટીમે તપાસ શરૂ કરી હતી. દરમ્યાન નાનેશ્વર પવારની પોલીસે પૂછપરછ કરી હતી ત્યારે સામે આવ્યું હતું કે, તે પીપળી ગામ પાસે શીવ પાર્કમા તેના બે દીકરા, પત્ની તેમજ સાસુ સુશિલાબેન વસંતભાઇ પાટિલ સાથે રહેતો હતો જોકે, તેના સાસુ વગર વાંકે આરોપીના પત્ની તથા બંન્ને બાળકો સાથે ઝઘડો કરતાં હતા. અને જેમ ફાવે તેમ ગાળો આપતા હતા. જેથી તેણે કંટાળીને તેની જ સાસુની હત્યા કરવા માટેનો પ્લાન તેના જૂના મિત્ર રાહુલ ડામોરને સાથે રાખીને બનાવેલ હતો અને આ કામ માટે રાહુલને 50,000 રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

જે દિવસે ઘટનાને અંજામ આપવામાં આવેલ હતો ત્યારે નાનેશ્વર પવારનો મિત્ર રાહુલ ડામોર અને રાહુલનો એક મિત્ર તા. 12/10 ના રોજ રાતે 12 વાગ્યે તેના ઘરે આવ્યા હતા, ત્યારે નાનેશ્વર પવારના સાસુ સુશીલાબેન સૂતા હતા જેના નાનેશ્વર પવારે પગ પકડી રહ્યા હતા અને રાહુલે મોઢુ દબાવી દીધું હતું અને રાહુલના મીત્રએ ગળેટુપો આપીને તેની હત્યા કરી હતી ત્યાર બાદ કોથળામા લાશ મુકીને રાહુલ અને તેનો મિત્ર નાનેશ્વરના બાઈક નંબર જીજે 3 ડીએન 2721 માં લાશને આંદરણા ગામ પાસે લઈ ગયા હતા અને ત્યાં પેટ્રોલ છાંટીને લાશને સળગાવી હતી અને ત્યાર બાદ નાનેશ્વરને તેનું બાઇક રાહુલ પાછું આપી ગયો હતો અને રાહુલ તથા તેનો મિત્ર બંને મોરબીથી ભાગી ગયા હતા જો કે, હત્યાના આ ગુનામાં પોલીસે પહેલા મૃતક મહિલાના જમાઈ નાનેશ્વર પંડેરી પંવાર (41) નામના શખ્સની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ મોરબી તાલુકા પીઆઇ એસ.કે.ચારેલ અને તેની ટીમે આરોપી રાહુલ નથુલાજી ડામોર (24) રહે. મૂળ રાજસ્થાન હાલ રહે. રાધે મોજેક રફાળેશ્વર વાળાની ધરપકડ કરેલ છે અને તેના રિમાન્ડ લેવા માટેની તજવીજ શરૂ કરેલ છે.




Latest News