મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE













ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીના અન્ન અને નાગરીક પુરવઠાના પુર્વ સલાહકાર પી.પી.જોષીએ રાજયના મુખ્યમંત્રીને લેખીત રજૂઆત કરીને માંગ કરેલ છે કે ગુજરાત એસ.ટી.નિગમમાં ડી.ટી.ઓ તથા ડીસીની સમયાંતરે બદલી કરવી જોઇએ.કારણ કે ત્યાં ત્રણ વર્ષે નિયમીત બદલી થતી ન હોય તાનાશાહીના લીધે લોકો હેરાન થાય છે.

તેઓએ વધુમાં જણાવેલ છે કે હાલમાં ગુજરાત એસ.ટી. ડીવીઝનમાં વર્ષોથી એક જ જગ્યાએ અમુક ડી.સી.ફરજ બજાવે છે તેમજ ધણા ડીવીઝનમાં ડી.ટી.ઓ પણ એક જ જગ્યાએ ફરજ બજાવે છે. સરકારના મોટાભાગના વિભાગોમાં નિયમોનુસાર ત્રણ વર્ષે બદલી થતી હોય છે જે મુજબ એસટીમાં તેની અમલવારી થતી નથી તેવું જોવા મળે છે. પણ એસ.ટી.નિગમના અધિકારીઓ આ નિયમનુ ખુલ્લે આમ ભંગ કરે છે અને વર્ષોથી એકજ જગ્યાએ ડી.સી. તથા ડી.ટી.ઓ પોતાની મનમાની કરે છે પોતાની પેઢી હોય તેવું વહીવટ ચલાવે છે કોઈપણ અધિકારી અરજીનો સમયસર નિકાલ કરતા નથી અરજદારે અધિકારી વિરૂધ્ધ કરેલ અરજીનો કોઈ નિકાલ કરતા નથી અને અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ ખાતે અસંખ્ય અરજી ઓ નિકાલ કર્યા વગરની એમજ પડી રહેલ છે તેમજ અમદાવાદ સેન્ટ્રલ ઓફીસ રાણીય ખાતે વર્ષોથી કર્મચારી અડીંગો જમાવીને બેઠા છે અને પોતાની રીતે વહીવટ ચલાવે છે અને ભાજપ સરકારને બદનામ કરે છે આની અસર આવતી ચુંટણીમા જરૂર આપને જોવા મળશે આવા ત્રણ વર્ષોથી ઉપરના અધિકારી કર્મચારીને તાત્કાલીક બદલી કરવાની આપના લેવલે સુચના આપશો જેથી વહીવટ સારી રીતે ચાલે અને પ્રજાને પુરતો લાભ મળી શકે હાલનો વહીવટ અંધેરીનગરીને ગંડુરાજા જેવો ચાલે છે હાલમાં ૪ થી ૫ રેગ્યુલર ડી.સી. ફરજ બજાવે છે તો ડી.ટી.ઓને પ્રમોશન આપી રેગ્યુલર ડી.સી. બનાવવા જરૂરી છે તો આ બાબતે આપ સાહેબ યોગ્ય કરવા મારી વિનંતી છે.




Latest News