મોરબીમાં ઔદિચ્ય બ્રાહ્મણ જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમૂહ ભોજનનું કરાયું આયોજન મોરબી જીલ્લામાં ચાલતા ખેડૂત આંદોલનના સમર્થનમાં હળવદ શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખે પક્ષમાંથી રાજીનામું આપ્યું સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મસમાજનું ૨૮ મુ મહાઅધિવેશન આગામી શનિ-રવિવારે રાજકોટમાં યોજાશે મોરબીમાં ખવાસ રજપૂત સમાજના તેજસ્વી છાત્રો અને સિધ્ધી મેળવનારા પ્રતિભાઓનો સન્માન સમરોહ યોજાયો: રાકેશભાઈ રાઠોડની નવા ટ્રસ્ટી તરીકે નિમણૂક મોરબી જીલ્લામાં નાર્કોટીક્સ શાખામાં PI સહિતના સ્ટાફની નિમણુક કરાઇ બીસ્માર રોડની પરાકાષ્ઠા : મોરબીના આમરણ નજીક ટ્રેલરનમાંથી કન્ટેઇનર પલ્ટી મારી ગયું..! મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું
Breaking news
Morbi Today

મોરબીમાં 30 ટકા વ્યાજે રૂપિયા લેનારા યુવાને લાખો રૂપિયા આપ્યા છતાં બે શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ !: બે શખ્સ સામે ફરિયાદ


SHARE





મોરબીમાં 30 ટકા વ્યાજે રૂપિયા લેનારા યુવાને લાખો રૂપિયા આપ્યા છતાં બે શખ્સ દ્વારા પઠાણી ઉઘરાણી ચાલુ !: બે શખ્સ સામે ફરિયાદ

મોરબીમાં રહેતા યુવાનના ભાઈએ 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા લીધા હતા જેની સામે લાકડા જેવુ વ્યાજ આપીને લાખો રૂપિયા વ્યાજખોરને આપી દીધા હતા તો પણ યુવાનના ભાઈના ઘર જઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે બે શખ્સની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મોમ્સ હોટલની પાછળ નિતીન પાર્ક સોસાયટીમાં રહેતા ચેતનકુમાર કાંતીલાલ થોરીયા (35) એ ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇ જીવણભાઇ જીલરીયા રહે-શનાળા મોરબી અને ભાવેશભાઇ રબારી રહે. મોરબી વાળાની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છેકે, તેના ભાઈએ ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇ જીલરીયા પાસેથી આશરે દોઢેક વર્ષ પહેલા 3 લાખ રૂપીયા 30 ટકાના વ્યાજ લેખે રૂપિયા લીધા હતા જેની સામે 9 લાખ જેટલુ વ્યાજ આપેલ છે ત્યારબાદ ફરીયાદીના ભાઇએ ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇને દર મહિને 90 હજાર રૂપિયા આપેલ હતા તેમ છતા સમાધાન માટે ભેગા થયા હતા ત્યાં દર મહિને વ્યાજ નહીં પરંતુ 3.50 લાખ આપવાનું નક્કી કર્યું હતું જેથી ફરિયાદીના ભાઈએ તેની બેન્કનો ચેક લખીને આપેલ હતો. જો કે, આ રૂપિયા સમયસર આપી ન શકતા તે રૂપિયા ઉપર મહિને 5 ટકા લેખે વ્યાજ આપવું પડશે તેવું ટીનાભાઇ ઉર્ફે વરૂણભાઇએ કહ્યું હતું ત્યાર બાદ આરોપીએ ફરિયાદીને અલગ અલગ જગ્યાએ બોલાવી ગાળો આપેલ હતી અને બંને આરોપીઓએ સાથે મળીને તા 14/11 ના રોજ ફરિયાદીના ઘર પાસે જઈને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને ફરિયાદ નોંધવાતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News