મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE













મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના મકનસર ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે આંદરણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં ઇજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા મોજેરામ કેશવદાસ સાધુ (55) નામના આધેડ મોરબી વાંકાનેર રોડ મકનસર ગામ પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા અને ચરાડવા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે રેતીના ઢગલા પાસેથી અજાણ્યો યુવાન અકસ્માતમાં ઈજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા અજાણ્યા 32 વર્ષના યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા સુમિતભાઈ ધીરુભાઈ મિયાત્રા (15) નામનો બાળક માતાજીના મંદિરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.




Latest News