મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત


SHARE







મોરબીના મકનસર પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ આધેડનું મોત: આંદરણા પાસે અકસ્માતમાં ઇજા થવાથી અજાણ્યા યુવાનનું મોત

મોરબીના મકનસર ગામ પાસે અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા આધેડને ઇજા થઈ હતી જેથી તેને સારવારમાં લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તે આધેડનું મોત નીપજ્યું હતું જ્યારે આંદરણા ગામ નજીક આવેલ પેટ્રોલ પંપ પાસે અકસ્માતમાં ઇજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા પોલીસે અજાણ્યા યુવાનના મૃતદેહને હોસ્પિટલે ખસેડ્યો હતો અને આ બંને બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરના રાતાવિરડા ગામે રહેતા મોજેરામ કેશવદાસ સાધુ (55) નામના આધેડ મોરબી વાંકાનેર રોડ મકનસર ગામ પાસે હતા ત્યારે કોઈ અજાણ્યા ટ્રક ચાલકે તેઓને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થઈ હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ આયુષ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે આધેડનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બીજા બનાવમાં મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આવેલ આંદરણા અને ચરાડવા ગામ વચ્ચે પેટ્રોલ પંપ પાસે રેતીના ઢગલા પાસેથી અજાણ્યો યુવાન અકસ્માતમાં ઈજા થવાથી મૃત્યુ પામેલ હાલતમાં મળી આવતા અજાણ્યા 32 વર્ષના યુવાનના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બાળક સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના મોટા દહીસરા ગામે રહેતા સુમિતભાઈ ધીરુભાઈ મિયાત્રા (15) નામનો બાળક માતાજીના મંદિરેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પોતાના ઘર તરફ જઈ રહ્યો હતો દરમિયાન બાઈક અને રિક્ષા વચ્ચે અકસ્માત થવાના કારણે બાળકને ડાબા હાથમાં ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News