મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં


SHARE







વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં

વાંકાનેર નજીક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને બે યુવાનને ઇજા થતા તેને સારવારમાં ખસેડાયેલ છે. જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં તા.21/11 ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ત્રિપલ સવારીમાં બાઈક નંબર જીજે 36 એ એચ 4310ને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા પાનેલી ગામના રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (32)ને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેને વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈનું મોત નિપજયુ હતું. આ બનાવમાં રાહુલના ફૈબાના દીકરા ભરતભાઈ નાથાભાઈ વિંજવાડીયા (27) રહે.હસનપર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (24) રહે.હસનપર વાળાને ઇજાઓ થઈ હોય તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાહુલ વાઘાણી તેના ફૈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા-ફૈઈના ત્રણેય ભાઈઓ વાંકાનેરના રાતીદેવડી ગામ બાજુ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘરે જતા હતા. ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે.






Latest News