ટંકારાના હડમતિયામાં ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું, ૫૦૦૦ થી વધુ લોકોની ઉપસ્થિતિ મોરબીમાં લીલાપર રોડે આવેલ આવાસ યોજનામાં ૩૩૬ લાભાર્થીઓના આવાસ રદ્દ, નવેસરથી ડ્રો કરાશે: અધિકારી મોરબીના મણી મંદિર પાસે અકસ્માત બનાવમાં ઇજાગ્રસ્ત યુવતી સારવારમાં મોરબીમાં મણીમંદિર-ગ્રીન ચોક ખાતે ડાયનેમિક લાઈટિંગના કામનો કોન્ટ્રાક્ટ આપાયો મોરબીના સૂરજબાગના નવીનીકરણનું કામ ૩૦ ટકા પૂરું સાંસદ વિનોદભાઇ ચાવડાના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, શુભેચ્છકો દ્વારા કચ્છભરમાં સેવા કાર્યોનું આયોજન મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે ચિરાગભાઈ રાચ્છની વરણી મોરબી જલારામ ધામ ખાતે યોજાયેલ નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પનો ૧૯૮ દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં


SHARE













વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં

વાંકાનેર નજીક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને બે યુવાનને ઇજા થતા તેને સારવારમાં ખસેડાયેલ છે. જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં તા.21/11 ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ત્રિપલ સવારીમાં બાઈક નંબર જીજે 36 એ એચ 4310ને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા પાનેલી ગામના રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (32)ને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેને વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈનું મોત નિપજયુ હતું. આ બનાવમાં રાહુલના ફૈબાના દીકરા ભરતભાઈ નાથાભાઈ વિંજવાડીયા (27) રહે.હસનપર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (24) રહે.હસનપર વાળાને ઇજાઓ થઈ હોય તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાહુલ વાઘાણી તેના ફૈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા-ફૈઈના ત્રણેય ભાઈઓ વાંકાનેરના રાતીદેવડી ગામ બાજુ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘરે જતા હતા. ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે.








Latest News