મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં


SHARE











વાંકાનેરના નજીક ત્રીપલ સવારી બાઈકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા એક યુવાનનું મોત: બે સારવારમાં

વાંકાનેર નજીક ત્રિપલ સવારી બાઇકને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં એક યુવાનનું મોત નીપજ્યું હતું અને બે યુવાનને ઇજા થતા તેને સારવારમાં ખસેડાયેલ છે. જે બનાવ સંદર્ભે મૃતકના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

વાંકાનેરના હસનપર ઓવરબ્રિજ નજીક આવેલા જ્યોતિ સીરામીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં તા.21/11 ના રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ત્રિપલ સવારીમાં બાઈક નંબર જીજે 36 એ એચ 4310ને અજાણ્યા ટ્રેક્ટર ચાલકે હડફેટે લેતા પાનેલી ગામના રહેવાસી રાહુલભાઈ રમેશભાઈ વાઘાણી (32)ને ગંભીર ઇજાઓ થઈ હતી.જેથી તેને વાંકાનેર ખાતે સારવાર માટે લઈ જવા આવ્યો હતો અને ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબી લાવવામાં આવતો હતો ત્યારે રસ્તામાં રાહુલ રમેશભાઈનું મોત નિપજયુ હતું. આ બનાવમાં રાહુલના ફૈબાના દીકરા ભરતભાઈ નાથાભાઈ વિંજવાડીયા (27) રહે.હસનપર તથા કિશન નાથાભાઈ વિંજવાડીયા (24) રહે.હસનપર વાળાને ઇજાઓ થઈ હોય તે બંનેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં આ બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ અજાણ્યા ટ્રેક્ટર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. વધુમાં પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૃતક રાહુલ વાઘાણી તેના ફૈબાને ત્યાં વાંકાનેરના હસનપર ગામે રહેતો હતો અને મામા-ફૈઈના ત્રણેય ભાઈઓ વાંકાનેરના રાતીદેવડી ગામ બાજુ મજૂરી કામ માટે આવ્યા હતા અને ત્યાંથી પરત તેઓ પોતાના ઘરે જતા હતા. ત્યારે હસનપર બ્રિજ નજીક કારખાના પાસે અકસ્માત બનાવ બન્યો હતો. જેમાં એક યુવાનનું મોત નીપજ્યું છે.






Latest News