મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો : સુતેલા પાંચ મજૂર દાઝ્યા


SHARE













મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો : સુતેલા પાંચ મજૂર દાઝ્યા

શ્રમિકો રાજસ્થાનના વતની, અહીં રેબન સીરામીક કંપનીમાં મજૂરી કરે છે, દાઝેલા પાંચેય રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ

મોરબીના સીરામીક કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજથી ભડકો થયો હતો. રૂમમાં સુતેલા પાંચ મજૂર દાઝ્યા હતા. શ્રમિકો મૂળ રાજસ્થાનના વતની છે.પણ છેલ્લા એક વર્ષથી અહીં રેબન સીરામીક કંપનીમાં મજૂરી કરે છે અને અહીં જ રહે છે.દાઝેલા પાંચેય શ્રમિકને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.

મળતી માહિતી મુજબ, ઇતવારી બંગાળી (ઉંમર વર્ષ 22), સૂરજ બક્ષીભાઈ (ઉંમર વર્ષ 25), અમન બક્ષીભાઈ (ઉંમર વર્ષ 23), વિનય બક્ષીભાઈ (ઉંમર વર્ષ 17) અને શિવા ભરત (ઉંમર વર્ષ 16) રહે. પાંચેય, રેબન સીરામીક કંપનીની લેબર કોલોનીમાં, રંગપર પાવડિયારી, જેતપર રોડ, જી.મોરબી ગઈકાલે તા.23-11 ના સવારે 8.30 વાગ્યાં આસપાસ રેબન સીરામીક કંપનીની લેબર કોલોનીમાં પોતાની રૂમમાં સુતા હતા ત્યારે અચાનક ભડકો થતા પાંચેય દાઝી ગયા હતા.

બનાવના પગલે આસપાસ રહેતા અન્ય શ્રમિકો દોડી ગયા હતા.દાઝેલા પાંચેય શ્રમિકોને પહેલા ખાનગી હોસ્પિટલ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રીફર કરાયા હતા.શ્રમિકોએ જણાવ્યું કે,દાઝેલા પાંચેય વ્યક્તિ મૂળ રાજસ્થાનના વતની છે.પાંચમાંથી સૂરજ, અમન અને વિનય સગા ભાઈઓ છે.તેઓ અહીં 1 વર્ષથી મજૂરી કરે છે.બધા એક રૂમમાં સાથે સુતા હતા ત્યારે ધડાકાનો અવાજ થયો અને અચાનક આગ લાગી ભડકો થયો હતો.રૂમમાં ગેસનો બાટલો રાખ્યો હોય તેનુ રેગ્યુલેટર લીક થયુ હોય અને કોઈ શોટ સર્કિટથી આગ લાગી હોય તેવું હાલમા અનુમાન કરવામાં આવી રહ્યું છે.




Latest News