મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ


SHARE











હળવદના ચરાડવા ગામે રહેતા યુવાને ધંધામાં ખોટ જતા વ્યાજે લીધેલા 15.30 લાખ વસૂલવા ધાક ધમકી: પાંચ શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા યુવાનને ધંધામાં ખોટ ગઈ હોવાના કારણે તેને અલગ અલગ પાંચ વ્યક્તિઓ પાસેથી કુલ મળીને 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા અને તે વ્યાજની પઠાણી ઉઘરાણી કરવામાં આવતી હતી અને યુવાન પાસેથી એક શખ્સે એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને વ્યાજખોરો દ્વારા યુવાનને ધાક ધમકીઓ આપવામાં આવતી હતી જેથી માનસિક ત્રાસથી કંટાળીને યુવાન ઘર છોડીને જવા માટે મજબૂર બન્યો હતો ત્યારબાદ હાલમાં યુવાને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પાંચ શખ્સોની સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

હળવદના ચરડવા ગામે રહેતા કાળુભાઈ ઉર્ફે નાગજી રૈયાભાઈ ગમારા (25) એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ભૂપેન્દ્રસિંહ ઝાલા, જયરાજભાઈ રાજેશભાઈ પઢીયાર, ધરમભારથી ભરતભારથી, પ્રતિકભાઇ મહેશભાઈ ગોસ્વામી અને દિપકભાઈ જગદીશભાઈ બાવાજી રહે. બધા ચરાડવાવાળા સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે આજથી એકાદ વર્ષ પહેલાં તેને ધંધામાં ખોટ આવતા પાંચે આરોપીઓ પાસેથી અલગ અલગ સમયે આજે 15.30 લાખ રૂપિયા ઉંચા વ્યાજે લીધા હતા તેના વ્યાજની કડક ઉઘરાણી કરવામાં આવતી હતી અને જયરાજભાઈ પઢિયારે ફરિયાદી પાસેથી એસબીઆઇ બેન્કના સહીવાળા કોરા ચેક સિક્યુરિટી પેટે લઈ લીધા હતા અને પાંચેય આરોપીઓ દ્વારા વ્યાજની કડક ઉઘરાણી કરીને ધાક ધમકી આપી માનસિક ત્રાસ ફરિયાદીને દેવમાં આવતો હતો જેથી યુવાન ઘર છોડવા માટે મજબૂર બન્યો હતો અને આ બનાવ સંદર્ભે યુવાને નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે પાંચેય શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તાજીવીજ શરૂ કરેલ છે






Latest News