મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબી નજીક પેપર મિલમાં લાગેલ આગથી થયેલ નુકશાન સામે વ્યાજ સહિત 3.30 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબી નજીક પેપર મિલમાં લાગેલ આગથી થયેલ નુકશાન સામે વ્યાજ સહિત 3.30 કરોડ ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી નજીક નેક્ષા પેપર્સ એલ.એલ.પી. માં લાગેલ આગનો વીમો ન્યુ ઇન્ડીયા ઇન્સ્યોરન્સનો હોઈ વીમા કંપનીને તમામ કાગળો રજુ કરેલ છતા વીમા કંપનીએ વીમો આપવાની ના પાડી હતી જેથી મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ દ્રારા ગ્રાહક અદાલત માં કેસ દાખલ કરતાં અદાલતે ૨,૮૫,૦૫,૧૧૭ નો તા. ૦૪/૦૧/૨૦૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ૩,૩૦,૦૦,૦૦૦ નો વીમો ચુકવવા આદેશ કરેલ છે.

આ કેઇસની વિગત એવી છે કે કિશનભાઈ મગનભાઈ ઝાલાવાડીયા નેક્ષા પેપર્સ એલ.એલ.પી. ના ભાગીદાર હોય તેની ફેકટરી માં તા.:-૨૦/૦૩/૨૦૨૨ માં રાત્રે આગ લાગેલ આશરે ચાર કરોડ ઉપર નુકશાન થયેલ હતું તેમણે ધ ન્યુ ઇન્ડીયા ઇન્સ્યુરન્સનો વીમો લીધો હતો તેણે સમય મર્યાદા માં તમામ કાગળો વીમા કંપનીમાં રજુ કરી આપેલ હતા ત્યાર બાદ વીમા કંપનીએ રેપ્યુડ લેટર થી જણાવી આપેલ કે તમારી નુકશાનીની રકમ ખોટી છે તમે વીમાને માટે હકદાર નથી ઓડીટરી રીપોર્ટમાં સ્ટોક સબંધે કોઈ સામાકારણો નથી માટે પુરાવાના અભાવે વીમો મળે નહી આ અંગે કિશનભાઈએ મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા અદાલતમાં કેઇસ દાખલ કરેલ હતો અને અદાલતે વીમા કંપનીને જણાવ્યું કે ગ્રાહકે વીમા નું પ્રીમીયમ ભરેલ છે ૨૦૨૧-૨૨ નાં સી.એ રીપોર્ટ આપેલ છે આમા માલની વિગત આપી છે અને પોલીસ ફરિયાદ માં ૮૦ ટકા માલને નુકશાન કરેલ છે તેવુ દર્શાવે છે સરવૈયર પોતાનો રીપોર્ટ એક મહીનામાં રજુ કરવાનો હોય તેમણે એક વર્ષ પછી રજુ કરેલ છે. વીમા કંપની ની સેવામાં ખામી હોઈ તેમજ રેપ્યુડેશનમાં જણાવેલ કારણો માન્ય કરવામાં આવતા નથી માટે વીમા કંપનીને કિશનભાઈ ને રૂપિયા ૨,૮૫,૦૫,૧૧૭ નો તા. ૪-૧-૨૪ થી ૬ ટકા ના વ્યાજ સાથે ૩,૩૦,૦૦,૦૦૦ નો વીમો ચુકવવા આદેશ કરેલ છે.






Latest News