મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરની તબિયત લથડી


SHARE







મોરબીમાં પ્રાંત અધિકારીની કચેરીએ બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પ્રોફેસરની તબિયત લથડી

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ લાલબાગમાં પ્રાંત અધિકારીની કચેરી ખાતે બી.એલ.ઓ. ના સુપરવાઇઝર તરીકે કામ કરતા પ્રોફેસરની અચાનક તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેઓને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા અને બીપી લો થઈ જવાના કારણે તેઓને તબિયત બગડી હોવાનું અન્ય અધિકારી અને કર્મચારી પાસેથી જાણવા મળેલ છે.

સરકારી શાળા અને કોલેજના શિક્ષકો અને પ્રોફેસરો પાસેથી બી.એલ.ઓ. તથા બી.એલ.ઓ. સુપરવાઇઝર સહિતની શિક્ષણ સિવાયની જુદી જુદી અનેક પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે જેના કારણે તેઓ સતત ટેન્શનમાં રહેતા હોય છે દરમિયાન ગુજરાતમાં શિક્ષકે કામગીરીના કારણે આપઘાત કર્યા હોય તેવી ઘટનાઓ પણ સામે આવી છે તેવામાં જો મોરબીની વાત કરીએ તો મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ પ્રાંત અધિકારીની કચેરી ખાતે બી.એલ.ઓ. સુપરવાઇઝર તરીકે કામ કરતા મોરબી એલ.ઇ. કોલેજના પ્રોફેસર મનીષભાઈ જેઠવાની અચાનક તબિયત બગડી હતી જેથી તેઓને 108 મારફતે અન્ય અધિકારી અને કર્મચારીએ સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપવામાં આવી હતી અને તેઓની સાથે રહેલા અધિકારી અને કર્મચારી પાસેથી મળેલ વિગત પ્રમાણે મનીષભાઈ જેઠવાને બીપી લો થઈ જવાના કારણે તેઓની તબિયત બગડી હતી અને તેને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.






Latest News