મોરબીના શનાળા ઓવરબ્રિજ નજીક કારચાલકે બાઇકને હડફેટ લેતા ઇજાગ્રસ્ત યુવાન સારવારમાં
પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે
SHARE
પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે
'બીજાના ભલામાં આપણું જ ભલું છે'.આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર વિરલ સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે નિર્માણધિન બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
આ વિરાટ રક્તદાન યજ્ઞ આગામી તા.૩૦ નવેમ્બરને રવિવારના રોજ સવારે ૮ થી સાંજે ૫ કલાકે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે યોજાશે.ભારતમાં દર વર્ષે હજારો-લાખો લોકો રક્તના અભાવે મૃત્યુ પામે છે ત્યારે આપણું એક સમયનું રક્તદાન ૩ વ્યકિતોનું જીવન બચાવી શકે છે.જેથી રક્તદાન યજ્ઞમાં સગાં-સ્નેહી અને મિત્રો સાથે જોડાવા મોરબીના તમામ સશક્ત અને સ્વસ્થ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.