મોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલમોરબી રેલ્વે સ્ટેશન રોડ પર મારામારી : મહિલા ઘાયલ લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગ દ્વારા સરકારી સ્કૂલના બાળકોને સ્કૂલબેગનું વિતરણ કરાયું મોરબીના અનસ્ટોપેબલ વોરીયર્સ ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને ભરપેટ ભોજન કરાવાયું મોરબીમાંથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો બોલ માડી અંબે, જય જગદંબે: મોરબીથી અંબાજી સુધી 355 કિલો મીટરની પદયાત્રાએ અંબિકા પદયાત્રા સંઘ રવાના વાંકાનેરના વસુંધરા ગામે ચાલતી ગેરકાયદે પ્રવૃતિઓ બંધ કરાવવા રજૂઆતો કરનારા ગામના સરપંચ અને તેના પુત્ર ઉપર 4 શખ્સોએ કર્યો જીવલેણ હુમલો વાંકાનેરના ધમલપર નજીક કારખાનામાં લોખંડનો ટાંકો માથે પડતા ઇજા પામેલ યુવાનનું સારવારમાં મોત મોરબીમાં સતવારા સમાજના તેજસ્વી તારલાઓ અને ભામાશાઓનુ સન્માન
Breaking news
Morbi Today

પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે


SHARE





પ્રમુખ સ્વામી મહારાજના અવતરણદિન નિમિતે મોરબીમાં વિરાટ રક્તદાન યજ્ઞ યોજાશે

'બીજાના ભલામાં આપણું જ ભલું છે'.આ જીવનસૂત્ર સાથે લાખો લોકોને હૂંફ આપનાર વિરલ સંતવિભૂતિ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિતે નિર્માણધિન બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી દ્વારા વિરાટ રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

આ વિરાટ રક્તદાન યજ્ઞ આગામી તા.૩૦ નવેમ્બરને રવિવારના રોજ સવારે ૮ થી સાંજે ૫ કલાકે બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર મોરબી ખાતે યોજાશે.ભારતમાં દર વર્ષે હજારો-લાખો લોકો રક્તના અભાવે મૃત્યુ પામે છે ત્યારે આપણું એક સમયનું રક્તદાન ૩ વ્યકિતોનું જીવન બચાવી શકે છે.જેથી રક્તદાન યજ્ઞમાં સગાં-સ્નેહી અને મિત્રો સાથે જોડાવા મોરબીના તમામ સશક્ત અને સ્વસ્થ નાગરિકોને અપીલ કરવામાં આવી છે.




Latest News