ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી મોરબીના લાલપર નજીક એક્ટિવા અને બડા દોસ્ત તથા સજનપર નજીક કાર-બસ વચ્ચે અકસ્માત મોરબીની રાજપર ચોકડી પાસે અગાઉ ભત્રીજીને ભગાડી ગયેલ શખ્સ અને તેના પિતાએ યુવાનને માર માર્યો
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE







મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો ધોવાઈ ગયો છે જેથી અવારનવાર અકસ્માત થવાનો ભય રહે છે તેમ છતાં પણ સ્થાનિક અધિકારી અને તંત્ર દ્વારા તે ખાડા પૂરવા માટે રોડ રીપેર કરવા માટેની તસ્તી લેવામાં આવતી નથી જેથી જાગૃત સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરીને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટંકારાના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીથી ટંકારા સુધીનો જે ફોરટ્રેક રસ્તો આવેલો છે તેમા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વરસાદના કારણે રસ્તો ઘણી જગ્યાએ ધોવાઈ ગયો છે જેથી મોરબીથી ટંકારા સુધીના રસ્તામાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને જીવલેણ અકસ્માત થવાની શક્યતા છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી અને કર્મચારી દ્વારા તે રોડને રીપેર કરવા માટેની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે આ રોડમાં પડેલા ખાડા વહેલી તકે બુરવામાં આવે અને રોડને ટ્રાફિક માટે રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં જણાવ્યુ છેકે, આ રોડ ઉપર ઘણા બધા શૈક્ષણિક સંકુલ આવેલા છે તેમજ 24 કલાક રોડ ટ્રાફિકની ધમધમતો હોય છે ત્યારે રોડ ઉપરના ખાડાના લીધે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલા રોડના ખાડા બુરવામાં આવે તે જરૂરી છે






Latest News