મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રસ્તા ઉપર ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને રસ્તો ધોવાઈ ગયો છે જેથી અવારનવાર અકસ્માત થવાનો ભય રહે છે તેમ છતાં પણ સ્થાનિક અધિકારી અને તંત્ર દ્વારા તે ખાડા પૂરવા માટે રોડ રીપેર કરવા માટેની તસ્તી લેવામાં આવતી નથી જેથી જાગૃત સામાજિક કાર્યકર દ્વારા મુખ્યમંત્રીને આ બાબતે રજૂઆત કરીને વહેલી તકે રોડનું રીપેરીંગ કામ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે

ટંકારાના વીરપર ગામે રહેતા હસમુખભાઈ ગઢવી દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યું છે કે, મોરબીથી ટંકારા સુધીનો જે ફોરટ્રેક રસ્તો આવેલો છે તેમા ઠેર ઠેર ખાડા પડી ગયા છે અને વરસાદના કારણે રસ્તો ઘણી જગ્યાએ ધોવાઈ ગયો છે જેથી મોરબીથી ટંકારા સુધીના રસ્તામાં અવારનવાર નાના મોટા અકસ્માતો સર્જાતા હોય છે અને જીવલેણ અકસ્માત થવાની શક્યતા છે તેમ છતાં પણ જવાબદાર અધિકારી અને કર્મચારી દ્વારા તે રોડને રીપેર કરવા માટેની કામગીરી હજુ સુધી કરવામાં આવી નથી ત્યારે આ રોડમાં પડેલા ખાડા વહેલી તકે બુરવામાં આવે અને રોડને ટ્રાફિક માટે રીપેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને વધુમાં જણાવ્યુ છેકે, આ રોડ ઉપર ઘણા બધા શૈક્ષણિક સંકુલ આવેલા છે તેમજ 24 કલાક રોડ ટ્રાફિકની ધમધમતો હોય છે ત્યારે રોડ ઉપરના ખાડાના લીધે નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાય તે પહેલા રોડના ખાડા બુરવામાં આવે તે જરૂરી છે






Latest News