મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

ભારે કરી: મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં મહિલાનું અને સાથે રહેતા યુવાનનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોત


SHARE







ભારે કરી: મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં મહિલાનું અને સાથે રહેતા યુવાનનું તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મોત

મોરબીના ધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનની સાથે તેના લેબર કવાર્ટરમાં રહેતી મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાન જોવા મળી રહ્યા હોવાનું પોલીસ પાસેથી જાણવા મળે છે. અને મૃતક મહિલાના મૃતદેહનું ફોરેન્સિક પીએમ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે કરવામાં આવી રહ્યું છે જો કે, મૃતક મહિલાની સાથે રહેતા યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેસાડવામાં આવ્યો હતો દરમિયાન તે યુવાનનું પણ કોઈ કારણસર મોત નીપજયું હતું જેથી તેના મૃતદેહને પણ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે આમ આ બનાવની પોલીસે પ્રાથમિક નોંધ કરીને સમગ્ર ઘટનાના મૂળ સુધી પહોંચવા માટેની તજવીજ હાથ ધરી છે.

 

મોરબી તાલુકાના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં રહેતા પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાનું મોત નીપજયું હતું જેથી તેના મૃતદેને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને તેની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાનું પણ મોત નીપજ્યું હતું જેથી તેના મૃતદેને પણ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતેથી પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી. વધુમાં આ બનાવ સંદર્ભે ડીવાયએસપી વિરલ દલવાડી સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે બંને મૃતક વ્યક્તિના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવવામાં આવી રહ્યું છે અને મૃતક મહિલાના શરીર ઉપર મારના નિશાનો જોવા મળી રહ્યા છે જોકે, મહિલાનું મોત કઈ રીતે થયું હતું અને યુવાનનું મોત ક્યા કારણોસર થયું છે તેનું ચોક્કસ કારણ જાણવા માટે થઈને હાલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવી રહ્યું છે ત્યાર બાદ આ ઘટના વિષે સ્પષ્ટતા થાય તેવું હાલમાં ચર્ચાઇ રહ્યું છે






Latest News