મોરબી જિલ્લામાં જયા પાર્વતી વ્રત જાગરણ નિમિત્તે  વિહિપ દુર્ગાવાહિની-માતૃશક્તિ દ્વારા રાસ ગરબાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને સામાજીક વનીકરણ રેન્જ ધરમપુર નર્સરી દ્વારા વિનામૂલ્યે રોપાનું વિતરણ કરાયું કચ્છ-મોરબીના માર્ગ માળખાના સર્વાંગી વિકાસ માટે કેન્દ્રીય મંત્રીને સાંસદ વિનોદ ચાવડાએ કરી રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ મોરબીની ઓમ શાંતિ ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ઇસરો દ્વારા ત્રિદિવસીય એક્ઝિબિશનનું આયોજન મોરબીના રવાપર ગામે આવેલ ઉમા હોલ ખાતે ત્રિદિવસીય કૃષ્ણ કથાનું ભવ્ય આયોજન લાયન્સ ક્લબ ઓફ મોરબી નઝરબાગના પ્રેસિડેન્ટ તરીકે સચિનભાઈ કોટેચા-સેક્રેટરી તરીકે અલ્પેશભાઈ પુજારા મોરબીમાં 200 કેન્સર નિદાન કેમ્પ કરનારા ડો.વિક્રમભાઈ સંઘવીનું મંત્રીની હાજરીમાં કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત


SHARE







મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવાને યુવતીને માર માર્યો હતો જેથી યુવતીનું મોત નીપજયું હતું જેથી યુવતીની સાથે રહેતા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જો કે, યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈને આવ્યા હતા ત્યારે યુવાને યુવતીની હત્યા કરી હોવાનું કબૂલાત આપેલ હતી અને ત્યાર બાદ યુવાનની તબિયત બગડી હતી જેથી તેને 108 મારફતે મોરબી સિવિલે લઈ ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બાનવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાન રૂમની બહાર જતો રહ્યો હતો અને તે રૂમમાં પાછો આવ્યો ત્યારે પુષ્પાદેવી મૃત હાલતમાં પડી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવતીની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા અને ત્યાં તેણે પુષ્પાદેવીની હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે. દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાની તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેણે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલેખનીય છેકે, મૃતક યુવતી અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંનેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈએ ફરિયાઈ બનીને મૃતક યુવાન સામે તેની સાથે રહેતી યુવતીની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે. જયારે યુવાનના મોત સંદર્ભે મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશન ખાતે અમોત દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News