મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત


SHARE











મોરબી નજીક કારખાનના કવાર્ટરમાં યુવતીની હત્યા, હત્યારા યુવાનનું પણ મોત

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવતી સાથે લીવ ઇનમાં રહેતા યુવાને યુવતીને માર માર્યો હતો જેથી યુવતીનું મોત નીપજયું હતું જેથી યુવતીની સાથે રહેતા શખ્સની સામે હત્યાનો ગુનો નોંધાયેલ છે જો કે, યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લઈને આવ્યા હતા ત્યારે યુવાને યુવતીની હત્યા કરી હોવાનું કબૂલાત આપેલ હતી અને ત્યાર બાદ યુવાનની તબિયત બગડી હતી જેથી તેને 108 મારફતે મોરબી સિવિલે લઈ ગયા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે તેને મૃત જાહેર કરીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી જેથી પોલીસે અકસ્માત મૃત્યુના બાનવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના લખધીરપુર ગામ પાસે આવેલ લેક્સસ સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવાની સાથે તેના કવાર્ટરમાં લીવ ઇનમાં રહેતી પુષ્પાદેવી ગંભીરસિંહ મરાવી (20) નામની મહિલાને લાકડી અને પટ્ટા વડે માર માર્યો હતો અને ત્યાર બાદ યુવાન રૂમની બહાર જતો રહ્યો હતો અને તે રૂમમાં પાછો આવ્યો ત્યારે પુષ્પાદેવી મૃત હાલતમાં પડી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલે લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી પોલીસ ઘટના સ્થળે પહોચી હતી અને મૃતક યુવતીની સાથે રહેતા નરેન્દ્રસિંહ કમલસિંગ ધુરવા (25) નામના યુવાનને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પૂછપરછ માટે લાવ્યા હતા અને ત્યાં તેણે પુષ્પાદેવીની હત્યા કરી હોવાની પોલીસને કબૂલાત આપેલ છે. દરમ્યાન કોઈ કારણોસર નરેન્દ્રસિંહ ધુરવાની તબિયત બગડી હતી જેથી 108 મારફતે તેણે મોરબી સિવિલે લઈને આવ્યા હતા ત્યાં ફરજ ઉપરના ડોક્ટરે યુવાનને મૃત જાહેર કરીને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરી હતી. અત્રે ઉલેખનીય છેકે, મૃતક યુવતી અને યુવાનના મોતનું ચોક્કસ કારણ જાણવા માટે પોલીસે બંનેના મૃતદેહનું ફોરેન્સિક પીએમ કરાવ્યુ હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પીએસઆઈએ ફરિયાઈ બનીને મૃતક યુવાન સામે તેની સાથે રહેતી યુવતીની હત્યાની ફરિયાદ નોંધાવેલ છે. જયારે યુવાનના મોત સંદર્ભે મોરબી બી ડિવિઝ્ન પોલીસ સ્ટેશન ખાતે અમોત દાખલ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News