મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી


SHARE











મોરબીમાં ભાવિ પત્ની સાથે મનમેળ ન હોય યુવાને અણધાર્યું પગલું ભર્યું: ટંકારાના જીવાપર પાસે કૂવામાં મૃત્યુ પામેલા યુવાનની ઓળખ મળી

મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ નજીક ઝૂંપડામાં રહેતા યુવાને કોઈપણ કારણોસર પોતે પોતાની જાતે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ ભાણવડના રહેવાસી અને હાલમાં મોરબીની લીલાપર ચોકડી પાસે આવેલ પેટ્રોલ પંપ સામે ઝૂંપડામાં રહેતા વિજયભાઈ ભીમાભાઇ ચૌહાણ (19) કોઈપણ કારણોસર ગઈકાલે બપોરે ત્રણ વાગ્યાના અરસામાં પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાધો હતો જેથી 108 મારફતે તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મૃતક યુવાનના ભાઈ મેરૂભાઈ ભીમાભાઇ ચૌહાણ (30) રહે. હાલ લીલાપર ચોકડી મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ તાલુકા પોલીસ સ્ટેશનના એમ.પી.ઝાલા ચલાવી રહ્યા હોય તેની પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાનનું સગાઈ થઈ ગયેલ હતી જો કે, તેની ભાવિ પત્ની સાથે કોઈ કારણોસર મનમેળ ન હોવાથી લાગી આવતા યુવાને અંતિમ પગલું ભર્યું છે.

મૃતક યુવાનની ઓળખ મળી

ટંકારાના જીવાપર અમરાપર ગામની સીમમાં કિશોરભાઈ હળવદિયાની વાડીમાં આવેલ કુવામાં પડી જવાથી યુવાનનું મોત નીપજયું હતું જેની ઓળખ મેળવવા માટે તેને તજવી ચાલી રહી હતી અને મૃતક વ્યક્તિનું નામ પ્રવીણભાઈ ગોવિંદભાઈ દેલવાડીયા (50) રહે. હજામચોરો તાલુકો ધ્રોલ વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.






Latest News