મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

ખંડણીખોરનો ત્રાસ: કાલથી હળવદ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો યાર્ડના વેપારીઓએ કર્યો નિર્ણય


SHARE











ખંડણીખોરનો ત્રાસ: કાલથી હળવદ માર્કેટ યાર્ડ બંધ રાખવાનો યાર્ડના વેપારીઓએ કર્યો નિર્ણય

બળદેવ ભરવાડ દ્વારા, મોરબી જીલ્લામાં ખંડણીખોરના ત્રાસ વધી રહ્યો છે તેવામાં હળવદ માર્કેટ યાર્ડના વેપારીને અગાઉ ધમકી આપનારા શખ્સ દ્વારા ફરી પછી હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપેલ છે જેથી કરીને કાલથી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા લેવામાં આવેલ છે અને જયા સુધી ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવશે નહીં ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવો નિર્ણય હાલમાં યાર્ડના વેપારીઓ દ્વારા લેવામાં આવેલ છે અને આ મુદે યાર્ડના સત્તાધીશોને અને પોલીસને વેપારીઓ દ્વારા આવેદનપત્ર પણ આપવામાં આવ્યું છે

મોરબી જિલ્લાના હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારી મૂળ જુના રાયસંગપુર ગામના રહેવાસી અને હાલમાં હળવદના ગિરનારીનગરમાં રહેતા જનકભાઈ ઘનશ્યામભાઇ ચૌહાણ (ઉંમર ૩૭)ને ધાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જસપાલસીંહ ઝાલાએ અગાઉ કરેલી ફરિયાદનું મનદુખ રાખીને તેને ફોન કરીને કહ્યું હતું કે, “હું ભૂલી ગયો નથી” અને સરા ચોકડી પાસેથી વેપારી પસાર થઇ રહ્યા હતા ત્યારે ત્યાં તેઓને ઊભા રાખીને જશપાલસિંહ ઝાલાએ કહ્યું હતું કે, “તને ઉપાડી જવાનો જ છે અને પતાવી દેવો છે” આમ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઓમા રોશની લાગણી ફેલાઈ હતી અને આજે હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑ દ્વારા હળવદ પોલીસે તેમજ મામલતદારને આવેદનપત્ર આપીને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીને ધમકી આપનારા ખંડણીખોર શખ્સની સામે પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં નહિ આવે ત્યાં સુધી હળવદ યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવેલ છે અને હળવદ માર્કેટિંગ યાર્ડના વેપારીઑને સમજાવવા માટેનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો જો કે, ખાંડણીખોર સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી યાર્ડ બંધ રાખવામા આવશે તેવું  યાર્ડના વેપારીઓએ જણાવ્યુ છે






Latest News