મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી


SHARE













મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી

મોરબીના શનાળા ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થયેલા યુવાન સાથે અગાઉ થયેલ જૂની અદાવતનો ખાર રાખીને તેને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘર પાસે જઈને યુવાન તથા અન્ય એક વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિને લોખંડના ધારિયા વડે ખભા ઉપર તથા શરીરે મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા (32) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ વિજયસિંહ જાડેજા રહે, સરવડ, પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી, કૃષ્ણરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ સામે મોરબી, રવિ બહાદુરસિંહ ઝાલા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ પાસે મોરબી અને ઉર્વરાજસિંહ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અજયસિંહ અને પાર્થરાજસિંહ સાથે જૂની અદાવત હોય જે બાબતનો ખાર રાખીને અજયસિંહે ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ એકટીવામાં ફરિયાદી પાસે આવ્યા હતા અને તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં સાહેદ નૈમિષ ને પાર્થરાજસિંહે લોખંડના ધારીયા વડે માર મારીને ઇજા કરી હતી અને કૃષ્ણરાજસિંહે ફરિયાદીને પકડી રાખેલ અને રવિ ઝાલા તથા ઉર્વરાજસિંહે ફરિયાદીને ગાળો આપીને વારાફરતી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ફરીયાદીને લોખંડના ધારિયા વડે ખભાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News