મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી


SHARE













મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી

મોરબીના શનાળા ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થયેલા યુવાન સાથે અગાઉ થયેલ જૂની અદાવતનો ખાર રાખીને તેને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘર પાસે જઈને યુવાન તથા અન્ય એક વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિને લોખંડના ધારિયા વડે ખભા ઉપર તથા શરીરે મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા (32) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ વિજયસિંહ જાડેજા રહે, સરવડ, પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી, કૃષ્ણરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ સામે મોરબી, રવિ બહાદુરસિંહ ઝાલા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ પાસે મોરબી અને ઉર્વરાજસિંહ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અજયસિંહ અને પાર્થરાજસિંહ સાથે જૂની અદાવત હોય જે બાબતનો ખાર રાખીને અજયસિંહે ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ એકટીવામાં ફરિયાદી પાસે આવ્યા હતા અને તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં સાહેદ નૈમિષ ને પાર્થરાજસિંહે લોખંડના ધારીયા વડે માર મારીને ઇજા કરી હતી અને કૃષ્ણરાજસિંહે ફરિયાદીને પકડી રાખેલ અને રવિ ઝાલા તથા ઉર્વરાજસિંહે ફરિયાદીને ગાળો આપીને વારાફરતી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ફરીયાદીને લોખંડના ધારિયા વડે ખભાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.




Latest News