મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી


SHARE











મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને પાંચ શખ્સોએ ધારિયા વડે મારમારીને યુવાન સહિત બે વ્યક્તિને આપી ધમકી

મોરબીના શનાળા ઉપર આવેલ હાઉસિંગ બોર્ડ પાસેથી પસાર થયેલા યુવાન સાથે અગાઉ થયેલ જૂની અદાવતનો ખાર રાખીને તેને ધમકી આપવામાં આવી હતી અને ત્યારબાદ તેના ઘર પાસે જઈને યુવાન તથા અન્ય એક વ્યક્તિ આમ કુલ બે વ્યક્તિને લોખંડના ધારિયા વડે ખભા ઉપર તથા શરીરે મારમારીને ઈજા કરવામાં આવી હતી જેથી કરીને ઈજા પામેલ બંને વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાં સારવાર લીધા બાદ યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબીમાં રહેતા શક્તિસિંહ દિલીપસિંહ ઝાલા (32) એ હાલમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અજયસિંહ વિજયસિંહ જાડેજા રહે, સરવડ, પાર્થરાજસિંહ ભગીરથસિંહ ગોહિલ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી, કૃષ્ણરાજસિંહ નરેન્દ્રસિંહ જાડેજા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ સામે મોરબી, રવિ બહાદુરસિંહ ઝાલા રહે. રાધે કૃષ્ણ સ્કૂલ પાસે મોરબી અને ઉર્વરાજસિંહ રહે. હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબી વાળા સામે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે, અજયસિંહ અને પાર્થરાજસિંહ સાથે જૂની અદાવત હોય જે બાબતનો ખાર રાખીને અજયસિંહે ફરિયાદીને ધમકી આપી હતી. ત્યાર બાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ એકટીવામાં ફરિયાદી પાસે આવ્યા હતા અને તેને ગાળો આપીને મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ પાર્થરાજસિંહ અને કૃષ્ણરાજસિંહ ફરિયાદીના ઘર પાસે આવ્યા હતા અને ત્યાં સાહેદ નૈમિષ ને પાર્થરાજસિંહે લોખંડના ધારીયા વડે માર મારીને ઇજા કરી હતી અને કૃષ્ણરાજસિંહે ફરિયાદીને પકડી રાખેલ અને રવિ ઝાલા તથા ઉર્વરાજસિંહે ફરિયાદીને ગાળો આપીને વારાફરતી ઢીકાપાટુનો માર માર્યો હતો ત્યારબાદ ફરીયાદીને લોખંડના ધારિયા વડે ખભાના ભાગે માર મારીને ઇજા કરી હતી જેથી ઇજા પામેલા બંને વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યારબાદ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે પાંચ શખ્સોની સામે ગુનો નોધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News