મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની સગીરાએ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના જોધપર નદી ગામે રહેતા પરિવારની સગીરાએ ઘરમાં અણધાર્યું પગલું ભર્યું
મોરબીના જોધપર નદી ગામે રહેતી સગીરાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા તાલુકા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા નંદલાલભાઈ ઠાકરશીભાઈ રાજપરાની દીકરી સંજનાબેન રાજપરા (17)એ ગઈકાલે કોઈપણ કારણોસર પોતે પોતાના ઘરની અંદર રૂમનો દરવાજો અંદરથી બંધ કરીને પંખા સાથે સાડી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના અમૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.
અકસ્માતમાં ઇજા
હળવદમાં ગોરી દરવાજા પાસે રહેતા કેસુબેન તળશીભાઇ કોળી (45) નામના મહિલા ઘરેથી પરશુરામ મંદિર તરફ દૂધ લેવા માટે જઈ રહી હતી ત્યારે કોઈ અજાણ્યા બાઈક ચાલકે તેઓને ટક્કર મારતા અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં મહિલાને ઇજા થતાં તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અકસ્માતમાં ઇજા
માળીયા મીણામાં આવેલ માલાણી શેરીમાં રહેતા મેમુનાબેન સેફુદીનભાઈ માલાણી (29) નામની મહિલા બાઇકમાં પાછળના ભાગે બેસીને નગરપાલિકા કચેરી પાસેથી પસાર થઈ હતી ત્યારે કોઈ કારણસર બાઈકમાંથી તે પડી જતા તેને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.









