વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસે અજાણ્યા પુરુષની લાશ મળી,વાલી-વારસની શોધખોળ શરૂ મોરબીમાં થોડા સમય પહેલા દવા પી ગયેલ યુવાનનું સારવાર દરમિયાન મોત મોરબીમાં લેન્સકાર્ટના શોરૂમમાંથી ચશ્મા કે લેસનની ખરીદી ન કરવા વિહિપ-બજરંગ દળની અપીલ મોરબીમાંથી ચોરી કરેલા બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં બોલાચાલીનો ખાર રાખીને ક્રેટા ગાડી ઉપર સ્કોર્પિયો ચડાવી દેવાનો પ્રયાસ મોરબીના ઘૂટું ગામે યુવાનને બે શખ્સોએ પાઇપ અને ધોકા વડે માર મારતા માથામાં હેમરેજ વાંકાનેરના મેસરીયા પાસે ગોલો ખાઈને પરત જતાં લોકોની કારનું ટાયર ફાટતા સર્જાયેલ અકસ્માતમાં એક સગીરાનો પગ કપાઈ ગયો ​​​​​​​અખંડ દિવામાં ઘી હરામના પૈસાનું છે, ઘરના પૈસાનું નથી, તમે દીવો રાખવા કરતાં તાકાત હોય તો બંદૂક લઈને સામે આવોને આ વેપારીનું ગામ છે: કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા


SHARE













મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યા મંદિર ખાતે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ તેમજ મોરબી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ગીતા મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ગીતાજીનું પૂજન, ગીતાજીનું પઠન, દશાવતાર નૃત્ય નાટિકા, મહાભારત નૃત્ય નાટીકા, સંસ્કૃત ગરબા વગેરે સંસ્કૃતના સંરક્ષણ તેમજ સંવર્ધન હેતુથી આ પ્રકારની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ સાથે ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડની યોજના પંચકમ અંતર્ગત જેમને સંપૂર્ણ ગીતાજી તેમજ સો સુભાષિત કંઠસ્થ કરેલા હતા તેમને પ્રમાણપત્ર તેમજ શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે મુખ્ય અતિથિ તરીકે ડેપ્યુટી ડીડીઓ શૈલેષભાઈ ભટ્ટ, જિલ્લા શિક્ષણ અધિકારીના પ્રતિનિધિ બ્રિજેશભાઈ, ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ નોડલ અધિકારી અલ્પેશભાઈ, સાર્થક વિદ્યામંદિરના ટ્રસ્ટી કમલેશભાઈ તેમજ અન્ય મહેમાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાજીનું જીવનમાં શું મહત્વ છે તે અંતર્ગત માધવભાઈ પંડ્યાએ મુખ્ય વક્તા તરીકે માર્ગદર્શન આપ્યું હતું. તેમજ મોરબી જિલ્લામાં અને સાર્થક વિદ્યા મંદિરમાં સંસ્કૃત કાર્ય થઈ રહ્યા છે તે અંતર્ગત સંસ્કૃત ભારતીમાંથી રાજકોટ વિભાગ સંયોજક મયુરભાઈ શુક્લએ માહિતી આપી હતી. આ સાથે દર વર્ષની જેમ સાર્થક વિદ્યામંદિરમાં સવારે તેમજ બપોરે બંને સમયે ગીતાજીના સંપૂર્ણ 18 અધ્યાયનું પારાયણ પણ કરવામાં આવેલું હતું.






Latest News