હળવદમાં સોની કામનો ધંધો ચાલતો ન હોય આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
SHARE
હળવદમાં સોની કામનો ધંધો ચાલતો ન હોય આર્થિક સંકળામણથી કંટાળીને યુવાને કર્યો આપઘાત
હળવદમાં આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા સોની વેપારી યુવાને ધંધો વ્યવસ્થિત ચાલતો ન હોવાથી આર્થિક સંકળામણ હતી જેથી તેને મનોમન લાગી આવતા પોતે પોતાની જાતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તે યુવાનના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનના પત્નીએ જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
હળવદમાં આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં રહેતા ચિરાગભાઈ રજનીકાંતભાઈ ઝિઝુવાડીયા (43)એ પોતે પોતાના ઘરની અંદર છતમાં લગાવેલ પંખા સાથે દોરી બાંધીને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મૃતક યુવાનના પત્ની શીતલબેન ચિરાગભાઈ ઝિઝુવાડીયા (40)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વધુમાં પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાન સોની કામનો ધંધો કરતો હતો અને તેનો ધંધો વ્યવસ્થિત ચાલતો ન હતો જેથી આર્થિક સંકળામણથી તેને મનોમન લાગી આવતા યુવાને પોતે પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ છે.