મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીના ચાંચાપર ગામ પાસે ૨૦થી વધુ કુંજ પક્ષીના મોત


SHARE













મોરબીના ચાંચાપર ગામ પાસે ૨૦થી વધુ કુંજ પક્ષીના મોત

મોરબીના ચાંચાપર ગામના સીમ વિસ્તારની અંદર લગભગ ૨૦થી વધુ કુંજ પક્ષીઓના મોત નિપજ્યા હતા જે બનાવની ગામના લોકોને જાણ થતાની સાથે જ આ બનાવની ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ત્યારબાદ જે પક્ષીઓના મોત થયા છે તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં દર વખતે શિયાળા દરમિયાન બહારના પક્ષીઓ જુદા જુદા વિસ્તારમાં આવતા હોય છે. દરમિયાન જો વાત કરીએ મોરબી તાલુકાના ચાચાપર ગામની તો ચાચાપર ગામના સીમ વિસ્તારની અંદર ૨૦થી વધુ કુંજ પક્ષીઓના મૃતદેહ મળી આવ્યા હતા જે અંગેની ગામના લોકો દ્વારા ગામના સરપંચના પતિ રમેશભાઈ ભીમાણીને જાણ કરવામાં આવતા રમેશભાઈ ભીમાણી તથા ગામના આગેવાનો સહિતના લોકો ત્યાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગના અધિકારી ત્યાં દોડી આવ્યા હતા અને મૃતક પક્ષીઓના મૃતદેહને પીએમ માટે લઈ ગયા હતા અને તેના મોતનું ચોક્કસ કારણ જાણવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News