મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા દિલ્હીની ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપની પાસેથી જીયા કોર્પોરેશનના પ્રોપરાઈટર પાર્થકુમાર દિનેશભાઈ ફુલતરીયાને ૨૫ લાખ ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે ચુકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે, ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ કુ. દિલ્હીએ પાર્થકુમાર ફુલતરીયા પાસેથી ગેસ વ્યવસ્થીત આપવા શરતે ૨૫ લાખ ડીપોઝીટ લીધેલી હતી અને કંપનીના કહેવા પ્રમાણે વેરહાઉસીંગ ઓફિસ માટેની સ્પેસ પ્રોપેન ગે સ્ટોરેજ સપ્લાઈ સીસ્ટમ, સીલીન્ડર અને પ્રેસર રેગ્યુલેટર પાઇપો સહીત વિવીધ સુવિઘાઓ કરેલ હતી અને કંપનીએ કહ્યું હતું કે, ભારતમાં અન્ય કંપની જે ભાવે ગેસ આપે છે તે ભાવે આપશુ. જેથી પાર્થભાઈએ ૨૫ લાખ ડીપોઝીટ ભરેલ એક વખત કંપનીએ ટેન્ડરભરી માલ આપ્યો પછી આપવાનો બંધ કરી દીધો કોઇ પણ કારણો બતાવ્યા વગર આ વહેવાર કરેલ અને વારંવાર રજુઆત કરતા માલ આપેલ નહી તેથી પાર્થભાઈએ પોતાની ડીપોઝીટ પરત માંગેલ હતી પરંતુ તે પણ આપી ન હતી જેથી તેઓએ મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો અને કોર્ટે ગેસ કંપનની સેવામાં ખામી હોઈ કંપનીએ પાર્થ ફુલતરીયાને ૨૫ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે તા. ૨૯/૯/૨૦૨૫ થી ચુકાવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અને મંત્રી રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.




Latest News