મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો


SHARE













મોરબીમાં પ્રમુખસ્વામી મહારાજના પ્રાગટ્ય દિન નિમિત્તે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

પ્રમુખસ્વામી મહારાજના જન્મદિવસ નિમિત્તે મોરબી ખાતે ઝુલતા પુલ પાસે નવનિર્મિત મંદિર પરિસરમાં એક અદભુત રક્તદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રમુખસ્વામી મહારાજે વિશ્વને સંસ્કૃતિના રક્ષણ માટે મંદિરોનું નિર્માણ અને શિક્ષણ, તબીબી સેવા તેમજ ભૂકંપ-પૂર જેવી હોનારતોમાં રાહત જેવા 162 થી વધુ સેવા કાર્યોની ભેટ આપી છે. હાલમાં આ સેવા પ્રવૃત્તિઓ મહંત સ્વામી મહારાજ દ્વારા આગળ ધપાવવામાં આવી રહી છે. આ સેવા યજ્ઞ અંતર્ગત, આયોજિત રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. અને રક્તદાન કર્યું હતું. ખાસ વાત એ હતી કે આ રક્તદાન કેમ્પમાં ભાઈઓ અને બહેનો ઉપરાંત 40 થી 60 વર્ષથી સતત રક્તદાન કરતા દાતાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું. આ ધાર્મિક અને સામાજિક સેવાના કાર્યક્રમમાં રાજ્ય શ્રમ મંત્રી કાંતિલાલ અમૃતિયા, પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા, અને આરએસએસ અગ્રણી ડો., જયંતીભાઈ ભાડેસિયા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા તેમજ મોરબી મંદિર કોઠારી પૂજ્ય આત્મકિર્તીસ્વામી અને પૂજ્ય હરિસ્મરણસ્વામી ઉપસ્થિત રહ્યા હતા




Latest News