મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













દિલ્હીની કંપનીને મોરબીના જીયા કોર્પોરેશનને ૨૫ લાખ રૂપિયા ૯ ટકા વ્યાજ સાથે ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષાના પ્રમુખ દ્રારા દિલ્હીની ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ લી. કંપની પાસેથી જીયા કોર્પોરેશનના પ્રોપરાઈટર પાર્થકુમાર દિનેશભાઈ ફુલતરીયાને ૨૫ લાખ ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે ચુકવવા ગ્રાહક અદાલતે આદેશ કર્યો છે.

કેસની વિગત એવી છે કે, ઇંદીરા ગેસ એન્ડ પેટ્રોલ કુ. દિલ્હીએ પાર્થકુમાર ફુલતરીયા પાસેથી ગેસ વ્યવસ્થીત આપવા શરતે ૨૫ લાખ ડીપોઝીટ લીધેલી હતી અને કંપનીના કહેવા પ્રમાણે વેરહાઉસીંગ ઓફિસ માટેની સ્પેસ પ્રોપેન ગે સ્ટોરેજ સપ્લાઈ સીસ્ટમ, સીલીન્ડર અને પ્રેસર રેગ્યુલેટર પાઇપો સહીત વિવીધ સુવિઘાઓ કરેલ હતી અને કંપનીએ કહ્યું હતું કે, ભારતમાં અન્ય કંપની જે ભાવે ગેસ આપે છે તે ભાવે આપશુ. જેથી પાર્થભાઈએ ૨૫ લાખ ડીપોઝીટ ભરેલ એક વખત કંપનીએ ટેન્ડરભરી માલ આપ્યો પછી આપવાનો બંધ કરી દીધો કોઇ પણ કારણો બતાવ્યા વગર આ વહેવાર કરેલ અને વારંવાર રજુઆત કરતા માલ આપેલ નહી તેથી પાર્થભાઈએ પોતાની ડીપોઝીટ પરત માંગેલ હતી પરંતુ તે પણ આપી ન હતી જેથી તેઓએ મોરબી શહેર/ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્રારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરેલ હતો અને કોર્ટે ગેસ કંપનની સેવામાં ખામી હોઈ કંપનીએ પાર્થ ફુલતરીયાને ૨૫ લાખ રૂપિયા ૯ ટકાના વ્યાજ સાથે અને ૧૦ હજાર ખર્ચના સાથે તા. ૨૯/૯/૨૦૨૫ થી ચુકાવાનો આદેશ આપેલ છે. તેવી માહિતી સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા, ઉપપ્રમુખ બળવંતભાઈ ભટ્ટ અને મંત્રી રામભાઈ મહેતાએ જણાવ્યુ છે.






Latest News