સરદાર પટેલની ૧૫૦ મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ એકતા પદ યાત્રામાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા જોડાયા
મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન
SHARE
મોરબીમાં સ્વયમ્ સૈનિક દળ દ્વારા 6 ડિસેમ્બરે મહારેલી અને મહાસભાનું આયોજન
મોરબીમાં 6 ડિસેમ્બરે ડૉ. બાબા સાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે એસએસડી દ્રારા મહારેલી‚ મહાસલામી અને મહાસભાનું આયોજન કર્યું છે.
6 ડિસેમ્બર, 2025 ના રોજ ભારતરત્ન ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિતે સ્વયમ્ સૈનિક દળ મોરબી દ્વારા મોરબી ખાતે ભવ્ય મહારેલી‚ મહાસલામી અને મહાસભાનુ આયોજન કરવામાં આવ્યું છે. તો સમસ્ત મૂળનિવાસી સમાજને આ કાર્યક્રમમાં જોડાઈ ડૉ. બાબા સાહેબ આંબેડકરજીના દેશ માટે આપેલ મહાન ત્યાગ અને બલિદાનને યાદ કરી તેમનું ઋણ ચૂકવવા હજાર રહેવા માટે આયોજકોએ અનુરોધ કર્યો છે. આ રેલી સવારે 9 વાગ્યે ઉમિયાનગર થી શરૂ થઈને સોઓરડી, નટરાજ ફાટક, મયુરપુલ, દરબારગઢ, સબજેલ, વાઘપર, શનાળા રોડ, સિવિલ હોસ્પિટલ ડૉ. બાબા સાહેબના સ્ટેચ્યુને સલામી આપી નહેરુ ગેટ ગેસ્ટ હાઉસ, શક્તિચોક વીસીફાટક, રેલવે સ્ટેશન, કુબેર નગર, લાયન્સ નગર પૂર્ણ થશે. અને ત્યાર બાદ રોહિદાસપરામાં સભાનું આયોજન કરેલ છે.