મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન


SHARE











મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે અગાઉથી અરજદારો દ્વારા ટોકન લેવામાં આવતા હોય છે જોકે ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોને કોઈને કોઈ કારણોસર હેરાન થવું પડતું હોય છે ગઈકાલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હોવાથી દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગમાં આવેલ સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ કરવા માટે લોકો આવતા હોય છે અને દસ્તાવેજ માટે થઈને લાંબી લાઈનો લાગતી હોય અગાઉથી ટોકન લીધા બાદ અરજદારો દસ્તાવેજના સમયે ત્યાં ઓફિસ આવતા હોય છે જોકે કોઈને કોઈ કારણોસર ધાંધીયા હોવાથી અરજદારોને દસ્તાવેજની કામગીરીમાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે થોડા દિવસો પહેલાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હોવાના કારણે અગાઉથી ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોના દસ્તાવેજ થઈ શક્યા ન હતા અને લોકોને હેરાન થવું પડ્યું હતું આટલુ જ નહીં પરંતુ જે દિવસે લોકો લીધેલા ટોકન પણ બીજા દિવસે લેવા આવતા નથી જેથી કરીને લોકોને ફરી પાછા ટોકન લઈને લાઈનમાં ઉભુ રહેવું પડે તેવો ઘાટ સર્જાયો હતો 

આવી જ રીતે ગઇકાલે ગુરુવારના દિવસે સબરજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હતા જેથી કરીને દસ્તાવેજ કરવા માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિક દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સાડા દસ વાગ્યે સબ રજીસ્ટાર કચેરી ખોલવામાં આવી ત્યારથી લઈને લગભગ બાર વાગ્યા સુધી એટલે કે દોઢ કલાક સુધી ઇન્ટરનેટ કનેકટીવિટી ધાંધિયા હોવાના લીધે દસ્તાવેજની કામગીરી થઇ શકી ન હતી અને ત્યાર બાદ ઇન્ટરનેટ કનેકટીવિટી આવતાં લોકોનાં કામ થયા હતા જો કે વારંવાર આવી રીતે વીજપુરવઠો કે પછી ઇન્ટરનેટ કનેકટીવિટી ન હોવાના કારણે દસ્તાવેજ કરવા માટે આવતા લોકોને હેરાન થવું પડતું હોય છે જેથી કરીને જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અરજદારો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે






Latest News