મોરબીમાં મૃત્યુ પામેલા અજાણ્યા યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ મોરબી તાલુકા પોલીસ લાઇનમાં રહેતો પોલીસ કોન્સ્ટેબલ ગુમ પોલીસની ઓસરતી ધાક ચિંતાનો વિષય : મોરબીમાં અગાઉ કરેલી પોલીસ ફરિયાદનો રોષ રાખીને યુવાન ઉપર લાકડી વડે હુમલો મોરબીના લાલપર ગામ નજીકથી સગીરાનું અપહરણ મોરબીના જેતપર રોડ ઉપર હાર્ટ એટેક આવી જતા યુવાનનું મોત સમયનો સદુપયોગ: મોરબીમાં ગેસના અભાવે સિરામિક કારખાના બંધ થતાની સાથે કિલન સહિતની મશીનરીનું મેન્ટેનન્સ શરૂ સોશ્યલ મીડિયાથી સાવધાન: મોરબીના યુવાનને શેર બજારમાં 1.11 કરોડનો નફો થયો હોવનું કહીને 50.14 લાખની છેતરપિંડી મોરબીના લક્ષ્મીનગર નજીક કોમ્પલેક્ષની પાછળ પાર્ક કરેલા ટ્રકની ચોરી ! 
Breaking news
Morbi Today

મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન


SHARE













મોરબીની સબ રજીસ્ટાર કચેરીમાં ઇન્ટરનેટની કનેકટીવિટીના ધાંધિયાથી અરજદારો હેરાન

મોરબીની સબ રજિસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજ કરવા માટે અગાઉથી અરજદારો દ્વારા ટોકન લેવામાં આવતા હોય છે જોકે ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોને કોઈને કોઈ કારણોસર હેરાન થવું પડતું હોય છે ગઈકાલે સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હોવાથી દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં લાલબાગમાં આવેલ સબ રજીસ્ટાર કચેરી ખાતે દસ્તાવેજ કરવા માટે લોકો આવતા હોય છે અને દસ્તાવેજ માટે થઈને લાંબી લાઈનો લાગતી હોય અગાઉથી ટોકન લીધા બાદ અરજદારો દસ્તાવેજના સમયે ત્યાં ઓફિસ આવતા હોય છે જોકે કોઈને કોઈ કારણોસર ધાંધીયા હોવાથી અરજદારોને દસ્તાવેજની કામગીરીમાં હાલાકીનો સામનો કરવો પડતો હોય છે થોડા દિવસો પહેલાં વીજપુરવઠો ખોરવાઈ ગયો હોવાના કારણે અગાઉથી ટોકન લઈને લાઈનમાં ઉભેલા લોકોના દસ્તાવેજ થઈ શક્યા ન હતા અને લોકોને હેરાન થવું પડ્યું હતું આટલુ જ નહીં પરંતુ જે દિવસે લોકો લીધેલા ટોકન પણ બીજા દિવસે લેવા આવતા નથી જેથી કરીને લોકોને ફરી પાછા ટોકન લઈને લાઈનમાં ઉભુ રહેવું પડે તેવો ઘાટ સર્જાયો હતો 

આવી જ રીતે ગઇકાલે ગુરુવારના દિવસે સબરજિસ્ટ્રાર કચેરીમાં ઇન્ટરનેટ કનેકટીવિટીના ધાંધીયા હતા જેથી કરીને દસ્તાવેજ કરવા માટે આવેલા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને સ્થાનિક દસ્તાવેજ કરવા માટે આવેલા અરજદારો પાસેથી જાણવા મળતી વિગતો પ્રમાણે સાડા દસ વાગ્યે સબ રજીસ્ટાર કચેરી ખોલવામાં આવી ત્યારથી લઈને લગભગ બાર વાગ્યા સુધી એટલે કે દોઢ કલાક સુધી ઇન્ટરનેટ કનેકટીવિટી ધાંધિયા હોવાના લીધે દસ્તાવેજની કામગીરી થઇ શકી ન હતી અને ત્યાર બાદ ઇન્ટરનેટ કનેકટીવિટી આવતાં લોકોનાં કામ થયા હતા જો કે વારંવાર આવી રીતે વીજપુરવઠો કે પછી ઇન્ટરનેટ કનેકટીવિટી ન હોવાના કારણે દસ્તાવેજ કરવા માટે આવતા લોકોને હેરાન થવું પડતું હોય છે જેથી કરીને જવાબદાર અધિકારી દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી અરજદારો દ્વારા લાગણી વ્યક્ત કરવામાં આવી છે




Latest News