મોરબીના યુવા શક્તિ ફાઉન્ડેશન દ્વારા ઘૂટુંની સરકારી હાઈસ્કૂલમાં સ્વચ્છતા જાગૃતિનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં મીઠાઈ-ફરસાણની 29 દુકાનમાં કર્યું ચેકિંગ, 17 ધંધાર્થીઓને ફટકારી નોટીસ કચ્છના 3 દિવ્યાંગ ખેલાડીઓની આંતર રાષ્ટ્રીય ક્રિકેટ ટુર્નામેન્ટમાં પસંદગી થતાં સાંસદ વિનોદ ચાવડાએ કર્યું સન્માન મોરબીની પી.જી.પટેલ કોલેજની ઇન્ટર કલાસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં SY BBA ની ટીમ બની ચેમ્પિયન મોરબીના સિરામિક ઉદ્યોગકારો સાથે સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડના અધિકારીઓની મિટિંગ યોજાઇ મોરબીનો પાડા પુલ 15 દિવસમાં રીપેર ન કરે તો આંદોલન: જિલ્લા યુવક કોંગ્રેસની ચીમકી મોરબીમાં સાયબર ફ્રોડના ગુના પકડાયેલ ડોક્ટર સામે અગાઉ 3 રાજ્યોમાં નોંધાયા છે ફરિયાદ, હાલમાં આરોપી જેલ હવાલે, વધુ એકની ધરપકડ મોરબીમાં રિસામણે ગયેલી પત્ની સાથે ફોન ઉપર વાત કર્યા બાદ દવા પી ગયેલ યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ


SHARE













મોરબીના સનાળા ગામ પાસે શોરૂમમાં આગ લાગતા નાસભાગ

મોરબીના સનાળા ગામ પાસે આવેલ શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેની તાત્કાલિક મોરબી મહાપાલિકાના ફાયર વિભાગને બનાવની જાણ કરતા ફાયરની ટિમ ઘટના સ્થળે પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં કરવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.

મોરબી નજીકના સનાળા ગામ પાસે આવેલ દરિયાલાલ સ્ક્વેર નામના શોપિંગ સેન્ટરની અંદર નીચેના ભાગમાં માધવ સુઝુકી નામનો શોરૂમ આવેલ છે અને તે શોરૂમની અંદર કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની હતી જેથી આસપાસના વેપારીઓ દ્વારા તાત્કાલિક આ બનાવ અંગેની શોરૂમના સંચાલકોને જાણ કરવામાં આવી હતી તેમજ મોરબી મહાપાલિકાને જાણ કરવામાં આવી હતી જેથી ફાયરની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટર સાથે ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને શોરૂમમાં લાગેલ આગને કાબુમાં લેવા માટે થઈને પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ આગ લાગવાની ઘટના સાંજના સમયે શોરૂમમાં બની હતી જો કે, શોરૂમ તે સમયે બંધ હતો પરંતુ આગ કયા કારણોસર લાગી તે હજુ સુધી જાણવા મળી શક્યું નથી.






Latest News