આયાતી ઉમેદવાર નહીં, સ્થાનિક આગેવાનને જ ભાજપની ટિકિટ આપવાની માંગ: હવે મોરબી મહાપાલિકાના વોર્ડ નં. 8 માંથી વિરોધનો સૂર ઉઠ્યો મોરબી: ઘરેથી કામ શોધવા જાઉં છું કહીને નીકળેલી યુવતી ગુમ મોરબીના ખોખરા હનુમાનજી મંદિરે ગુરુવારથી 7 દિવસીય નેચરોપેથી શિબિરનું આયોજન મોરબી જિલ્લામાં વસતા ગરીબ કુટુંબની ઝુંપડપટીઓને રેગ્યુલાઈઝ કરો : લાલજી મહેતા મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા મ્યુઝિકલ તંબોલાનો કાર્યક્રમ યોજાયો મોરબી પીજીવીસીએલની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલની સજા વાંકાનેરના ભલગામ પાસે મૃત હાલતમાં મળી આવેલ યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ મોરબી જિલ્લામાં માવઠાની આગાહી; ખેડૂતોને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ખેતીવાડી વિભાગનો અનુરોધ
Breaking news
Morbi Today

મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


SHARE











મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

મોરબીમાં ઢોર પકડવા માટેની મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં માત્ર માલધારીઓની ગાયોને જ પકડવામાં આવે છે જો કે, રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી તેવો અણીદાર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના લોકોને રજડતા ઢોરની પીડામાંથી મુક્તિ માટે તે માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેની સામે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરેલ છે અને સોશિયલ મીડિયામાં મૂકેલા વિડિયોમાં તેઓએ કહ્યું છે કે, મહાપાલિકા દ્વારા માત્ર ગૌમાતા અને વાછરડીને જ પકડવામાં આવે અને તેને દૂર ગામડામાં મૂકવામાં આવે છે ત્યાર બાદ માલધારીઓ પાસેથી દંડ લેવામાં આવે છે અને ગાયને ત્યાંથી પછી લાવવા માટે પણ માલધારીને આર્થિક ડામ લાગે છે જો કે, રસ્તે રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી માટે મહાપાલિકા દ્વારા માલધારીઓનું હિત વિચારીને કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને લોકોને રજડતા નદીઓનો ત્રાસ છે તેને પકડવા માટેની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News