મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાનું સારવાર દરમિયાન મોત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં સિરામિક ટ્રેડર્સ એસો. દ્વારા કાર રેલી યોજાઈ, બે-ત્રણ દિવસમાં આંદોલનનો સુખદ અંત આવે તેવી શકયતા મોરબી મચ્છુ-૨ ડેમમાં ન્હાવા પડેલા બે પૈકી એક યુવાનનું ડુબી જવાથી મોત વાંકાનેરના જેતપરડા ગામે માસુમ સેવા ફાઉન્ડેશ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે રવિવારે ભવ્ય બાઇક મશાલ રેલીનું આયોજન મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ


SHARE









મોરબીમાં ઢોર પકડવા માટેની કામગીરીમાં માત્ર ગાયો જ પકડાય છે નંદી નહીં: કોંગ્રેસ પ્રમુખનો આક્ષેપ

મોરબીમાં ઢોર પકડવા માટેની મહાપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવે છે જેમાં માત્ર માલધારીઓની ગાયોને જ પકડવામાં આવે છે જો કે, રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી તેવો અણીદાર આક્ષેપ મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ દ્વારા કરવામાં આવેલ છે.

મોરબીના લોકોને રજડતા ઢોરની પીડામાંથી મુક્તિ માટે તે માટે મહાપાલિકા દ્વારા ઢોર પકડવાની કામગીરી કરવામાં આવે છે તેની સામે મોરબી શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ગંભીર આક્ષેપ કરેલ છે અને સોશિયલ મીડિયામાં મૂકેલા વિડિયોમાં તેઓએ કહ્યું છે કે, મહાપાલિકા દ્વારા માત્ર ગૌમાતા અને વાછરડીને જ પકડવામાં આવે અને તેને દૂર ગામડામાં મૂકવામાં આવે છે ત્યાર બાદ માલધારીઓ પાસેથી દંડ લેવામાં આવે છે અને ગાયને ત્યાંથી પછી લાવવા માટે પણ માલધારીને આર્થિક ડામ લાગે છે જો કે, રસ્તે રજડતા નંદીઓને પકડવામાં આવતા નથી માટે મહાપાલિકા દ્વારા માલધારીઓનું હિત વિચારીને કાર્યવાહી કરવામાં આવે અને ખાસ કરીને લોકોને રજડતા નદીઓનો ત્રાસ છે તેને પકડવા માટેની કામગીરી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે.






Latest News