મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ
મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ
SHARE
મોરબીના વાઘપર ગામ પાસે માઇનોર કેનાલમાં પડેલ ગાબડું ચેરમેને રીપેર કરાવ્યુ
મોરબી નજીકથી પસાર થતી ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાં હાલમાં પાણી છોડવામાં આવ્યું છે ત્યારે આ કેનાલની પેટા કેનાલમાં ૨૭ નંબર પાસેથી વાઘપર અને ગાળા સહિતના ખેડૂતોને પાણી મળે છે જો કે, ગઈકાલે વાઘપર પીલુડી પાસે કેનાલમાં ગાબડું પડ્યું હતું જેને તાત્કાલિક બાંધકામ વિભાગના ચેરમેને તેના સ્વખર્ચે રીપેર કરાવ્યુ હતું.
વાઘપર ગામના ખેડૂતોએ કેનાલમાં પડેકા ગબડાની જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના ચેરમેન અજય લોરીયાને જાણ કરી હતી જેથી તેને ૭૦ હજારના સ્વખર્ચે કેનાલ તાત્કાલિક રિપેર કરાવી આપી હતી અને પિયત માટે છેવાળાના ખેડૂતને પાણી મળે તેના માટે વ્યવસ્થા કરી આપી હતી.