મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનના સમર્થનમાં આજે હળવદ માર્કેટ યાર્ડ સદંતર બંધ મોરબીના નીચી માંડલ ગામે જુના ઝગડાનો રોષ રાખી યુવતીનો પીછો કરી છેડતી : ગુનો નોંધાયો વાંકાનેર વિસ્તારમાં વીજલાઇનના મુદ્દે ખેડૂતોમાં આક્રોશ વળતર બાબતે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો આંદોલનની ચેતવણી: જિલ્લા કલેક્ટર દ્વારા ખેડૂતો સાથે બેઠક મોરબી યુવા શક્તિ ફાઉન્ડેશન અને ભોલેનાથ જીવદયા ગ્રુપ દ્વારા જડેશ્વર વિડી વિસ્તારમાં કીડિયારું મહોત્સવ યોજાયો મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે એકટીવા ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત યુવતી રાજકોટ ખસેડાઈ વાંકાનેરના રાતાવિરડા ગામ પાસે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત: મોરબીના કોયલી ગામ નજીક ડેમમાં ડૂબી જવાથી વૃદ્ધાનું મોત મોરબીના ભરતનગર ગામ પાસે ડબલ સવારી બાઇકને અજાણ્યા બાઈક ચાલકે હડફેટે લેતા ઈજા પામેલ દંપતી સારવારમાં વાંકાનેરના રાતાવીરડા ગામના યુવાન પાસેથી વ્યાજખોરોએ લઈ લીધેલ દાગીના, બાઇક અને કાર પોલીસે કબ્જે કરીને 10.49 લાખનો મુદમાલ પાછો અપાવ્યા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ


SHARE











મોરબી જીલ્લાનું હળવદ માર્કેટ યાર્ડ સતત બીજા દિવસે ખંડણીખોરના ત્રાસના વિરોધમાં બંધ

મોરબી જીલ્લાના હળવદ માર્કેટ યાર્ડના વેપારી પાસેથી અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને બાદમાં તે જ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી કરીને ગઇકાલે હળવદ માર્કેટ યાર્ડમાં વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખવામા આવી હતી અને આજે સતત બીજા દિવસે પણ વેપારીઓ દ્વારા હરરાજી બંધ રાખવામા આવી છે આમા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડમાં હરરાજી બંધ રાખવામા આવી રહી છે

હળવદ માર્કેટ યાર્ડમાં ગઇકાલથી વેપારીઓ દ્વારા ખંડણીખોરના ત્રાસના વિરોધમાં હરરાજીની કામગીરી અને વેપારીઓની દુકાનો બંધ કરવામાં આવી છે જેથી કરીને આ હડતાળ  સમેટાઇ તે માટે છેલ્લા બે દિવસથી હળવદ માર્કેટ યાર્ડના સત્તાધીશો અને સ્થાનિક પોલીસ દ્વારા વેપારીઓને સમજાવવા માટેનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે તેમ છતાં પાનાં આજે હળવદ માર્કેટ યાર્ડના વેપારીઓની હડતાળ ચાલુ છે અને આજે પણ ગઇકાલની જેમ જ હરરાજીની કામગીરી અને વેપારીઓની દુકાનો બંધ રાખવામા આવી છે

અત્રે ઉલેખનીય છે કે, હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર દુકાન ધરાવતા વેપારી જનકભાઈ ચૌહાણ પાસેથી ધ્રાંગધ્રા તાલુકાના કોંઢ ગામના રહેવાસી જશપાલસિંહ ઝાલા દ્વારા અગાઉ ૯૦ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી અને ત્યારે જનકભાઈ ચૌહાણ દ્વારા ફરિયાદ પણ નોંધાવાઇ હતી તેમ છતાં ફરી પાછી જશપાલસિંહ ઝાલા દ્વારા તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આરોપીની સામે કડક હાથે કામગીરી કરવામાં આવે તેવી હળવદ યાર્ડના વેપારીઓની માંગ છે અને ગઇકાલથી હળવદ માર્કેટિંગ યાર્ડની અંદર તમામ વેપારીઓ દ્વારા હરરાજીની કામગીરી બંધ રાખવામાં આવી છે અને હજુ સોમવારે પણ હળવદ માર્કેટિંગ યાર્ડમાં હરરાજીની કામગીરી શરૂ કરવામાં આવશે કે કેમ તે કહેવું મુશેક્લ છે 






Latest News