મોરબીમાં આવતી કાલની ચુંટણીને અનુલક્ષીને ૧૯૭ ગામોની ચુંટણી માટે સાહિત્ય સાથે સ્ટાફ રવાના
મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ
SHARE
મોરબી વૈધસભા દ્વારા અડદિયા વિતરણ
મોરબી વૈધસભા તરફથી શુધ્ધ ઘીના અડદિયાનું રાહતદરે વિતરણ કરવા આયોજન કરાયેલ છે. જે અંતર્ગત આગામી તા.૨૧-૧૨ ના રોજ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાનેથીઅડદિયા વિતરણ કરાશે.તથા તા.૨૨-૧૨ થી તા.૨૬-૧૨ સુધી આયુર્વેદ ઔષધોમાંથી બનાવેલ ઉકાળો કે જે શરદી, ઉધરસ, કફમાં અતિ ફાયદાકારક છે. તેવા ઔષધીય ઉકાળો શ્રી મોરબી વૈધસભા તરફથી સવારે ૬ થી ૮ શનાળા રોડ, ડો.બી.કે.લહેરૂના દવાખાના પરથી મળશે તેનો લાભ લેવા મોરબીવાસીઓને સંસ્થાના પ્રમુખ ડો.બી.કે.લહેરૂ (મો.૯૯૧૩૨ ૨૨૨૮૩) એ યાદીમાં જણાવેલ છે.