મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત
મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું
SHARE
મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું
મોરબીમાં રામચોક નજીક આવેલ મોરબી નાગરિક સહકારી બેંકનું રીનોવેશન કામ શરૂ કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના મંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા મોરબી કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડાની હાજરીમાં રીનોવેશન કામનું મહૂર્ત કરવામાં આવ્યું હતું આ તકે મોરબી નાગરિક સહકારી બેંકના ચેરમેન દીપકભાઈ પોપટ, વાઇસ ચેરમેન મનીષભાઈ ડિરેક્ટર, ડિરેક્ટર પરેશભાઈ કચોરીયા, વિજયભાઈ વાઘેલા, સંજયભાઈ ધોળકિયા તથા બેંકના તમામ ડિરેક્ટરો તેમજ મોરબી મહાપાલિકાના કોર્પોરેટર મેઘાબેન દીપકભાઈ પોપટ સહિતના હાજર રહ્યા હતા અને 30 વર્ષથી મોરબીમાં કાર્યરત મોરબી નાગરિક બેંકના સભાસદો અને ગ્રાહકોને આગામી સમયમાં ઝડપથી અને આધુનિક સુવિધાઓ સાથે બેન્કિંગ સુવિધાનો લાભ મળે તેના માટેની કામગીરી હાલમાં કરવામાં આવી રહી છે અને આગામી સમયમાં બેંકના ચેરમેન ડિરેક્ટર દ્વારા બેંક ઉતરોતર પ્રગતિ કરે તેવી કામગીરી કરવામાં આવે તેવી લાગણી રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા તથા સાંસદ વિનોદભાઈ ચાવડાએ વ્યક્ત કરી હતી.