મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ


SHARE













મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ

મોરબીના હળવદ તાલુકામાં આવેલ શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ)માં બિરાજમાન સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાદ્રષ્ટિથી તથા શ્રી હરિકૃષ્ણધામના સંસ્થાપક સાધુ ભક્તિહરિદાસજી સ્વામીની ઉદાર ભાવના અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ (હળવદ) ના સાથ-સહકારથી શિયાળાની કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને ૫૦૦ થી પણ વધારે ધાબળા તથા ૫૦૦ થી પણ વધુ સ્વેટરનું હળવદ તાલુકો, રણ વિસ્તાર અને તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને આ વિતરણ સેવા કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનો ૨૦૦ મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.તેના ઉપલક્ષમાં શ્રી હરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭ મી તારીખે શાકોત્સવનું આયોજન કરેલ છે.તે નિમિત્તે પ.પૂ.આચાર્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે,આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેકવિધ સમાજસેવા અવિરતપણે ચાલુ જ હોય છે.




Latest News