મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો મોરબી જિલ્લામાં ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવાની માંગ સાથે હજારો લોકોની સહી સાથે આવેદનપત્ર અપાયું મોરબીમાં રાજ્ય યોગ બોર્ડ દ્વારા બાળકો માટે નિઃશૂલ્ક સમર યોગ કેમ્પનું આયોજન મોરબી જિલ્લામાં NMEO-Oilseed યોજના હેઠળ વેલ્યુ ચેઇન પાર્ટનરની નિમણૂક માટે અરજીઓ મંગાવાઈ મોરબી નવયુગ શૈક્ષણિક સંકુલ-વિરપર (મોરબી) નું ધો.10 નું ધમાકેદાર રિઝલ્ટ કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ


SHARE













મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ

મોરબીના હળવદ તાલુકામાં આવેલ શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ)માં બિરાજમાન સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાદ્રષ્ટિથી તથા શ્રી હરિકૃષ્ણધામના સંસ્થાપક સાધુ ભક્તિહરિદાસજી સ્વામીની ઉદાર ભાવના અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ (હળવદ) ના સાથ-સહકારથી શિયાળાની કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને ૫૦૦ થી પણ વધારે ધાબળા તથા ૫૦૦ થી પણ વધુ સ્વેટરનું હળવદ તાલુકો, રણ વિસ્તાર અને તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને આ વિતરણ સેવા કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનો ૨૦૦ મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.તેના ઉપલક્ષમાં શ્રી હરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭ મી તારીખે શાકોત્સવનું આયોજન કરેલ છે.તે નિમિત્તે પ.પૂ.આચાર્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે,આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેકવિધ સમાજસેવા અવિરતપણે ચાલુ જ હોય છે.






Latest News