મોરબી જિલ્લાના ખેડૂતોએ ચોમાસુ સીઝન માટે બિયારણ, ખાતર અને જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત વિક્રેતાઓ પાસેથી જ કરવી મોરબીમાં સફાઈકર્મીઓ માટે જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીના રફાળેશ્વર નજીકથી ચોરી કરવામાં આવેલ રિક્ષા સાથે જાખર ગામના પાટીયા પાસેથી ગવરીદળનો શખ્સ પકડાયો મોરબી જિલ્લામાં સહકાર પ્રતિજ્ઞા દિવસ અન્વયે મોરબી જિલ્લાની સહકારી સંસ્થાઓ, બેંક અને એ.પી.એમ.સી. ખાતે લેવાયા સમૂહ શપથ મોરબીના ખેડૂત આંદોલનને અશ્વ સાથે અશ્વપાલકોનું સમર્થન: આંદોલન પાર્ટ 3 શરૂ થશે તો ખેડૂતના ખેતરમાં ઉભેલા વીજપોલ કાપી નાખવા ખેડૂતોએ ઉચ્ચારી ચીમકી રાષ્ટ્રીય ડૉક્ટર્સ ડે નિમિત્તે મોરબીમાં નિઃશુલ્ક હોમિયોપેથીક આરોગ્ય કેમ્પ યોજાશે હળવદના 22 ગામનું જેતપર ગામના ખેડૂત આંદોલનને ખુલ્લું સમર્થન, ભાજપના આગેવાનોને ખેડૂતોએ કરી ઉગ્ર રજૂઆત: કાલે હળવદ યાર્ડ બંધ, વેપારીઓ રેલી યોજાશે મોરબીના લાલપર ગામેથી આધેડ ગુમ; શોધખોળ ચાલુ
Breaking news
Morbi Today

મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ


SHARE









મોરબીના રણજીતગઢ ગામે શ્રીહરિકૃષ્ણધામ અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપે જરૂરીયાતમંદોને કર્યુ ધાબળા-સ્વેટરનું વિતરણ

મોરબીના હળવદ તાલુકામાં આવેલ શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ)માં બિરાજમાન સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજની અસીમ કૃપાદ્રષ્ટિથી તથા શ્રી હરિકૃષ્ણધામના સંસ્થાપક સાધુ ભક્તિહરિદાસજી સ્વામીની ઉદાર ભાવના અને ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ ટીમ (હળવદ) ના સાથ-સહકારથી શિયાળાની કડકડતી ઠંડીમાં દરિદ્રનારાયણને તથા જરૂરિયાતમંદોને ૫૦૦ થી પણ વધારે ધાબળા તથા ૫૦૦ થી પણ વધુ સ્વેટરનું હળવદ તાલુકો, રણ વિસ્તાર અને તમામ જરૂરિયાતમંદ પરિવારના ઘરે જઈ ને જ્યાં-જ્યાં જરુર હોય તેવા નાના-મોટા દરેક સ્થળે જઈને આ વિતરણ સેવા કરવામાં આવ્યુ હતુ.

અમદાવાદ શ્રી સ્વામિનારાયણ મંદિર-કાળુપુરમાં બિરાજમાન શ્રી નરનારાયણ દેવનો ૨૦૦ મો વાર્ષિક પાટોત્સવ પર્વ ધામધૂમપૂર્વક ઉજવાશે.તેના ઉપલક્ષમાં શ્રી હરિકૃષ્ણધામે આગામી તા.૨૩-૨૭ ડિસેમ્બર સર્વોપરી શ્રી ઘનશ્યામ મહારાજનો ચતુર્થ વાર્ષિક પાટોત્સવ અને ૨૭ મી તારીખે શાકોત્સવનું આયોજન કરેલ છે.તે નિમિત્તે પ.પૂ.આચાર્ય મહારાજશ્રીના શુભ આશીર્વાદ, અ.નિ.પ.પૂ. સદ્. શ્રી વિજ્ઞાનદાસજી સ્વામીની દિવ્ય પ્રેરણા અને પ.પૂ.તપોમૂર્તિ શ્રી ભક્તિહરિદાસજી સ્વામીના શુભ માર્ગદર્શન પ્રમાણે,આ શિયાળાની કડકડતી ઠંડીથી સૌની રક્ષા થાય એ હેતુથી વર્તમાન સમયાનુસારે આ સેવાકાર્ય સંપન્ન કરાયું. અત્રે ઉલ્લેખનીય છે કે શ્રી હરિકૃષ્ણધામ (રણજીતગઢ) દ્વારા આવી અનેકવિધ સમાજસેવા અવિરતપણે ચાલુ જ હોય છે.






Latest News