મોરબીમાં પ્રોપેન ગેસ આધારિત સિરામિક કારખાના હવે વધુમાં વધુ 24 થી 48 કલાકમાં બંધ થઈ જશે: પ્રમુખ હરેશભાઈ બોપલિયા હળવદ નજીક કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઊંચી માંડલ ગામ પાસે કેનાલમાં ડૂબી ગયેલ યુવાનનો હજુ કોઈ પત્તો નહીં મોરબીમાં ઘરમાં આગ લાગતાં ઘરવખરી બળીને ખાખ, કોઈ જાનહાનિ નહીં મોરબી પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા ટંકારા ખાતે સર્વરોગ નિદાન મેડીકલ કેમ્પનું આયોજન  વાંકાનેરમાં ધૂળેટીએ બઘડાટી: મહિલાને ઠપકો આપવા ગયેલ શેરીના લોકો ઉપર ઈંટ-પથ્થરના છૂટા ઘા કરીને હુમલો મોરબી શહેર અને તાલુકામાં જુદી જુદી જગ્યાએ ઊંચાઈ ઉપરથી નીચે પટકાતા બે યુવાનોના મોત: વાંકાનેરમાં સિંધાવદર પાસે પાણીના વોંકળામાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનું મોત મોરબીમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશન સામે કબીર ટેકરીમાં ઘરમાં જુગાર રમતા 18 શખ્સ પકડાયા, 6.15 લાખનો મુદામાલ કબ્જે મોરબીના સિરામિક ઉદ્યોગકારો પાસેથી પ્રોપેન ગેસના ટેન્કર માટેના ઓર્ડર લેવાનું બંધ, ગુજરાત ગેસ કાયમી ગ્રાહકોને મહિનાનો 50 ટકા અને નવા ગ્રાહકોને માત્ર 6 દિવસ ગેસ આપશે
Breaking news
Morbi Today

વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે જીવન ટુકવ્યું


SHARE













વાંકાનેર રેલવે સ્ટેશને ટ્રેન આડે પડતું મૂકીને અજાણ્યા આધેડે કર્યો આપઘાત

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપરથી ગઈકાલે બપોરના સમયે ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ટ્રેન આડે પડતું મૂકીને કોઈ અજાણ્યા 55 વર્ષના આધેડે આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને ગયા હતા અને ત્યારબાદ રેલવે પોલીસ દ્વારા આ બનાવની નોંધ કરીને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે તજવીજ હાથ ધરી છે.

વાંકાનેર રેલવે સ્ટેશન ઉપરથી ગઈકાલે બપોરના 2:00 વાગ્યાના અરસામાં ઓખા નાથદ્વારા ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે રેલ્વે સ્ટેશન ઉપર ટ્રેન આડે આધેડે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે અજાણ્યા 55 વર્ષના આધેડને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી તેન મોત નીપજયું હતું. જે બનાવની રેલવે પોલીસ દ્વારા નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને મૃતક વ્યક્તિની ઓળખ મેળવવા માટે થઈને હાલમાં તજવીજ ચાલી રહી છે.વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ઓખા-નાથદ્વારા ટ્રેન હેઠળ કપાઈ જવાથી અજાણ્યા પુરૂષનું મૃત્યુ નિપજયું છે આ અંગેની તપાસ કુલદીપસિંહ ઝાલા (મો.નં. 91735 55538) ચલાવી રહ્યા છે જે કોઈ આ મૃતકના વાલીવારસ હોય તેઓએ સંપર્ક કરવા જણાવાયું છે

મહિલા સારવારમાં

મોરબીના પરસોતમ ચોક પાસે આવેલ કાલિકા પ્લોટ વિસ્તારમાં રહેતા શાયરાબેન હનીફભાઈ શેખ (36) નામની મહિલા મોરબીના નગરદરવાજા ચોક પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહી હતી જે બનાવમાં ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતો કેયુર દેવજીભાઈ પરમાર (20) નામનો યુવાન રવાપર રોડ ઉપર મામા ફટાકડા પાસેથી બાઈક લઈને જતો હતો ત્યારે બાઈક અને ઇકો કાર વચ્ચે અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા

ટંકારા તાલુકાના મેઘપર ઝાલા ગામે રહેતા પ્રતાપસિંહ અજીતસિંહ ઝાલા (45)ને ગામમાં થયેલ મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

સગીરા સારવારમાં

હળવદમાં રહેતી સોફિયાનાબેન નિઝામભાઈ ભટ્ટી નામની 15 વર્ષ સગીરાનું માથું તેના ઘરે તેના પિતાએ દિવાલમાં અથડાવ્યું હતું અને મારમાર્યો હતો જેથી કરીને ઈજા પામેલ સગીરાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News