મોરબીના પંચાસર શિવનગરમાં ગામમાં થતાં ડખાઓને લઇને લોકો મતદાનથી અળગા રહ્યા..!
મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૩૦૦ જવાન તૈનાત
SHARE
મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૩૦૦ જવાન તૈનાત
મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ચૂંટણી યોજાઇ રહી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ તેમજ હોમગાર્ડના કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનો સમગ્ર જિલ્લાના મતદાન મથક ઉપર બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.
આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હોય છે મોરબી જિલ્લાની જો વાત કરીએ તો આજે ૧૯૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે તેના માટે પોલીસ દ્વારા કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનોને મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તેનાત કરવામાં આવ્યા છે વધુમાં આ અંગે મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકા ભારાય સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૬૦૦ થી વધુ પોલીસ જવાન અને૬૦૦ થી વધુ હોમગાર્ડના જવાન આમ કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનોને આ ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે થઈને ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે અને હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકા ની અંદર શાંતિપુર્વક મતદાનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ તેઓએ જણાવેલ છે.