ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૩૦૦ જવાન તૈનાત


SHARE













મોરબીમાં શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાય તે માટે ૧૩૦૦ જવાન તૈનાત

મોરબી જિલ્લાના પાંચ તાલુકામાં ચૂંટણી યોજાઇ રહી છે અને ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને હાલમાં પોલીસ તેમજ હોમગાર્ડના કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનો સમગ્ર જિલ્લાના મતદાન મથક ઉપર બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યા છે.

આજે સમગ્ર ગુજરાતની અંદર લોકશાહીનું પર્વ એટલે કે ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત ગોઠવાયો હોય છે મોરબી જિલ્લાની જો વાત કરીએ તો આજે ૧૯૭ ગ્રામ પંચાયત માટે ચૂંટણી યોજાઇ રહી છે તેના માટે પોલીસ દ્વારા કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનોને મતદાન મથકો ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે માટે તેનાત કરવામાં આવ્યા છે વધુમાં આ અંગે મોરબી જિલ્લાના ડીવાયએસપી રાધિકા ભારાય સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે ૬૦૦ થી વધુ પોલીસ જવાન અને૬૦૦ થી વધુ હોમગાર્ડના જવાન આમ કુલ મળીને ૧૩૦૦ જેટલા જવાનોને આ ચૂંટણી શાંતિમય માહોલમાં યોજાય તે માટે થઈને ફરજ ઉપર તૈનાત કરવામાં આવ્યા છે અને હાલમાં મોરબી જિલ્લાના પાંચ તાલુકા ની અંદર શાંતિપુર્વક મતદાનની પ્રક્રિયા ચાલી રહી હોવાનું પણ તેઓએ જણાવેલ છે.






Latest News